Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમન પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે ખોદકામ કરેલ રસ્‍તાના રીપેરીંગ કરવા કલેક્‍ટરને કરાયેલી લેખિત રજુઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના કાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ દ્વારા ડોકમરડી ચાર રસ્‍તા પાસે રીંગરોડ પર ઓવરબ્રીજ બની રહ્યો હોય જેના કારણે રોડનું ખોદકામ કરેલ છે, જ્‍યાં વારંવાર અકસ્‍માત થતા હોય ખોદેલા રોડનું કામ તાત્‍કાલિક કરવા બાબતે કલેક્‍ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
જેમાં જણાવ્‍યા અનુસાર ડોકમરડી ચાર રસ્‍તા પાસે રીંગરોડ પર ઓવરબ્રીજ બની રહ્યો છે જેના લીધે રોડના સાઈટના ભાગમાં ખોદકામ કરેલ છે. જે રોડનું કામ ઘણાં સમયથી બંધ પડેલ છે. આ રોડ પરથી રોજીંદા હજારોની સંખ્‍યામાં વાહનોની અવરજવર થાય છે. રોડ ખોદવાના કારણે ત્‍યાં મોટા ખાડાઓ પડી ગયેલ છે જેથી અહીં વારંવાર અકસ્‍માતો થતાં હોય છે. ગત 25 ઓગસ્‍ટના રોજ રાત્રીના સમયે મુસાફરો ભરેલ એક બસ પલ્‍ટી મારી ગઈ હતી જેનાથી ઘણાં લોકોને ઈજા થવા પામેલ છે. અગાઉ પણ આ રોડ પર અને આજ સ્‍થળે ચારથી પાંચ વખત અકસ્‍માત થઈ ચુક્‍યા હોય જેને ધ્‍યાનમાં રાખી અધૂરા રોડનું કામ તાત્‍કાલિક પૂર્ણ કરવાની હોય છે. જે માટે સેલવાસ નગરપાલિકાનાકાઉન્‍સિલર શ્રી સુમનભાઈ પટેલ દ્વારા કલેક્‍ટરશ્રીને આ રસ્‍તાનું કામ વહેલી તકે કરવામાં આવે એવી વિનંતી કરી છે.

Related posts

રાજ્યમાં સૌપ્રથમ વલસાડ જિલ્લામાં ચૂંટણીના મેનેજમેન્ટ માટે વલસાડ ડીઈઓ એપ જિલ્લા ચૂંટણી અધિકારીક્ષિપ્રા આગ્રે દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં લોન્ચ કરાઈ

vartmanpravah

આજે વાપીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના જન્‍મ દિવસની ઉજવણી : રક્‍તદાન કેમ્‍પ-ફ્રૂટ વિતરણ કરાશે

vartmanpravah

ભારત રત્‍ન ડો. આંબેડકરના પૌત્ર ભીમરાવના અધ્‍યક્ષ સ્‍થાને મુંબઈમાં ત્રિસુત્ર શતાબ્‍દી મહોત્‍સવ સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટસીટી પ્રોજેક્‍ટ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરાયું

vartmanpravah

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

વરસાદી માહોલમાં બીલીમોરા ખાતે તિરંગો લહેરાવતા પાણી પુરવઠા રાજ્‍ય મંત્રી જીતુભાઈ ચૌધરી

vartmanpravah

Leave a Comment