Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણમાં 15, દાનહમાં 18, દીવમાં 03 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ/દીવ, તા.22
દમણમાં આજે કોરોનાના 15 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 18 અને દીવમાં 03 પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણભર્યા છે. ત્રણેય જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 267 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 15 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 100 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 16 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 03 કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રાજેશભાઈની ચાલ, સોમનાથ, દમણ, (ર) મનોજભાઈની ચાલ, કચીગામ, દમણ (3) સપના ચાલ, દાભેલ દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 18 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-07, ભીમપોર-03, દુણેઠા-01 અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-0પ, જ્‍યારે દાભેલમાં-02 ઝોનનો સમાવેશ થાય છે.
દાદરા નગર હવેલીમાં નવા 18કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમાં 137 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમા 6048 કેસ રીકવર થઈ ચૂકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 415 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 18 વ્‍યક્‍તિનો કોરોનાપોઝિટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 133 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ નહી આવતા કુલ 18 રિપોર્ટ પોઝિટીવ આવ્‍યા છે. હાલમાં પ્રદેશમાં કુલ 18 કન્‍ટાઈનમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે. આજરોજ 18 દર્દી રીકવર થતાં રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનું ટીકાકરણ કરવામા આવ્‍યું હતું. જેમા આજે 772 લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439929 અને બીજો ડોઝ 310135 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે. પ્રેકયુશન ડોઝ 1747 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 751811 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં નવો કોરોના પોઝિટીવનો 03 કેસ નોંધાયો છે. હાલમાં પ્રદેશમાં કુલ 13 કેસો સક્રિય છે. આજરોજ 03 વ્‍યક્‍તિઓ રીકવર થતા રજા આપવામાં આવી છે. અત્‍યાર સુધીમાં 1245 વ્‍યક્‍તિઓને રીકવર થઈ ચૂક્‍યા છે.

Related posts

કપરાડાના સુખાલામાં તા.9 ફેબ્રુઆરીએ આયુષ મેળો યોજાશે

vartmanpravah

દુણેઠા પંચાયતમાં યોજાયો જીએસટી રજીસ્‍ટ્રેશન અને જાગરૂકતા કેમ્‍પ: આજે વરકુંડ ગ્રામ પંચાયતમાં યોજાશે કેમ્‍પ

vartmanpravah

પારડી વિધાનસભા ભાજપના ઉમેદવાર નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વાપી મધ્‍યસ્‍થ કાર્યાલયનું ઉદ્‌ઘાટન

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

ચીખલીના સમરોલીની સ્‍વામિનારાયણ સ્‍કૂલનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 84 ટકા પરિણામ

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment