March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો મુજબ ગણેશજીનું નામ કોઈપણ ધાર્મિક કાર્ય માટે પહેલાં પૂજનિય છે. આથી તેમને ‘પ્રથમપૂજનિય’ પણ કહેવામાં આવે છે. આજે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને દમણ નગરપાલિકાના વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ જિલ્લાની ટીમ સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ બાપ્‍પાના દર્શન કર્યા હતા. સાથે જ તેમના પરિવાર સાથે કાઉન્‍સિલર શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, વોર્ડ નં.7 ઢાકલીની વાડીમાં મંજુબેનના ઘરે, વિશ્વકર્મા મંદિર અને ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે સ્‍થાપિત ગણપતિ બાપ્‍પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ સાથે વિઘ્નહર્તા પાસે દાહન અને દમણ-દીવ પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ થતા સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.

Related posts

માત્ર 6 મહિનામાં સેલવાસની ફાસ્‍ટ ટ્રેક પોક્‍સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ સગીરા સાથેના બળાત્‍કારના ગુનામાં 20 વર્ષની કઠોર જેલ અને રૂા.15000નો દંડ

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

સરીગામ એન્‍જિનિયરીંગ ઝોનમાં થર્મોકોલ બનાવતી કંપનીમાં લાગેલી આગ

vartmanpravah

પારડીની સંસ્‍કૃત મહાવિદ્યાલયમાં ગુજરાતી ભાષા ગૌરવ સંવર્ધનની એક દિવસીય કાર્યશાળા સંપન્ન

vartmanpravah

સરૈયા ગામનો પાંચ દિવસથી ગુમ સગીરની બોડવાંક ગામે આંબાવાડીમાંથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

vartmanpravah

દમણની વેલનોન ઈન્‍ડસ્‍ટ્રીઝના કર્મીઓને આરોગ્‍ય વિભાગે ડેંગ્‍યુના રોગચાળાને અટકાવવાની બાબતમાં પ્રશિક્ષિત કર્યા

vartmanpravah

Leave a Comment