July 17, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ તથા સમૃદ્ધિની કરેલી કામના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.01: હિંદુ ધર્મમમાં ભગવાન ગણપતિને ખાસપૂજનીય માનવામાં આવે છે. શાષાો મુજબ ગણેશજીનું નામ કોઈપણ ધાર્મિક કાર્ય માટે પહેલાં પૂજનિય છે. આથી તેમને ‘પ્રથમપૂજનિય’ પણ કહેવામાં આવે છે. આજે દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અને દમણ નગરપાલિકાના વોર્ડ નં.7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયાએ જિલ્લાની ટીમ સાથે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને બિરાજમાન વિઘ્નહર્તા ગણપતિ બાપ્‍પાના દર્શન કર્યા હતા. સાથે જ તેમના પરિવાર સાથે કાઉન્‍સિલર શ્રીમતી રશ્‍મિબેન હળપતિ, વોર્ડ નં.7 ઢાકલીની વાડીમાં મંજુબેનના ઘરે, વિશ્વકર્મા મંદિર અને ટેક્ષી સ્‍ટેન્‍ડ ખાતે સ્‍થાપિત ગણપતિ બાપ્‍પાના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ સાથે વિઘ્નહર્તા પાસે દાહન અને દમણ-દીવ પ્રદેશવાસીઓ માટે તંદુરસ્‍ત આરોગ્‍ય અને સુખ-શાંતિ થતા સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરી હતી.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના 61મા સ્‍થાપના દિવસની આનંદ ઉમંગ અને ઉત્‍સાહથી ઉજવણી: પૂર્વ સરપંચો અને સદ્‌ગત સરપંચોના પરિવારનું મોમેન્‍ટો અને શાલથી કરાયેલું સન્‍માન

vartmanpravah

હીટ એન્‍ડ રનના નવા કાયદાના વિરોધમાં વાપી વિનંતીનાકા પાસે જાહેર રોડ પર ક્રેઈન મુકી દેવાઈ

vartmanpravah

નવસારી જિલ્લા પંચાયતના બાંધકામ અધ્‍યક્ષે ઘેજ-બીડમાં વાડખાડી સ્‍થિત ડૂબાઉ પુલ અને નવીનીકરણ થઈ રહેલા મોટા ડુંભરીયાના મુખ્‍યમાર્ગનું નિરીક્ષણ કરી જન માહિતી મેળવી ગુણવત્તા જાળવવા સાથે સમયસર કામ પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી

vartmanpravah

વલસાડ અતુલ બંગલામાં પી.એસ.આઈ. ત્રણ કોન્‍સ્‍ટેબલ સહિત 19 શરાબ-કબાબની મહેફીલ માણતા ઝડપાયા

vartmanpravah

સેલવાસના બાલદેવી વિસ્‍તારમાંથી અજાણ્‍યા ઈસમની લાશ મળી

vartmanpravah

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment