April 27, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના વંકાલ ગામે તળાવમાં પાણી સુકાતા આગેવાનો દ્વારા તળાવમાં પાણી છોડવા અંબિકા વિભાગને આવેદનપત્ર અપાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.27: ચીખલી તાલુકાના વંકાલ ગામના સ્‍થાનિક આગેવાનો દ્વારા અંબિકા સબ ડિવિઝનમાં લેખિત રજૂઆત કરી ગામના વાણિયા તળાવમાં પાણી ભરવાની માંગ કરવામાં આવી હતી.
વંકાલ ગામના સ્‍થાનિક અગ્રણી દીપકભાઈ સોલંકી, પૂર્વ સરપંચ વાંસતીબેન પટેલ, પૂર્વ સરપંચ દીપકભાઈ પટેલ સહિતનાની આગેવાનીમાં સ્‍થાનિકો દ્વારા અંબિકા સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેરને કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે ગામના વાણિયા તળાવ ફળીયામાં આવેલ તળાવમાં હાલે પાણી તળિયે જતા રહેતા તળાવ સુકાઈ જવાના આરે છે. જેને પગલે આસપાસના બોરવેલોમાં પણ પાણીના સ્‍તર નીચે જતા રહ્યા છે. જેને લઈને પશુધનને પણ પીવાના પાણીની સમસ્‍યા ઉભી થાય તેવી સ્‍થિતિ સર્જાવા પામી છે. આ ઉપરાંત તળાવની ફરતે લાખો રૂપિયાના ખર્ચે સાતેક જેટલા ઓવારાઓનું પણ નિર્માણકરવામાં આવેલ છે. પરંતુ તળાવમાં પાણી તળિયે જતા રહેતા સ્‍થાનિકો કપડાં પણ ધોઈ શકતા નથી અને ઓવારાઓ નકામા બનવા પામેલ છે.
વધુમાં વાણિયા તળાવમાં નહેર મારફતે પાણી ભરવા માટે અગાઉ પણ સ્‍થાનિક આગેવાન દીપકભાઈ સોલંકી દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. હાલે પાણી તળિયે જતા રહેતા અને તળાવ સુકાઈ જવાના આરે પહોંચતા અમારા વિસ્‍તારમાં અનેક પ્રકારની મુશ્‍કેલીઓ ઉભી થવા પામી છે. ઉપરોક્‍ત સ્‍થિતિને ધ્‍યાનમાં લઈ અમારા વિસ્‍તારની નહેરની સપાટી કોન્‍ક્રીટની પાકી બનાવવામાં આવે અને હાલેએ નહેર મારફતે તળાવમાં પાણી ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Related posts

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

પ્રદેશની સળગતી સમસ્‍યા, દાનહ સાંસદ કલાબેન ડેલકરે લોકસભામાં દાનહ અને દમણ-દીવ ખાતે ભારત સરકારની ‘‘આયુષ્‍માન ભારત” યોજના બંધ હોવાની કરેલી રજૂઆત

vartmanpravah

મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજે નાની દમણના કોળી પટેલ હોલ ખાતે કેન્‍દ્રિય મંત્રી નારાયણ રાણેની વિશાળ સભા

vartmanpravah

ઉમરગામ પાલિકાની સામાન્‍ય સભાનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

ચીખલી પોલીસે વંકાલથી દારૂ ભરેલ કાર સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાનહઃ મારગપાડા પ્રાથમિક મરાઠી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે સંવાદ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment