Vartman Pravah
Breaking Newsચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડ

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

પડતર માંગો અંગે તાત્‍કાલિક નિર્ણય નહિ લેવાય તો 1પમી સપ્‍ટેમ્‍બરથી પુનઃ ગાંધી ચિંધ્‍યા માર્ગે આક્રમક આંદોલન કરવાની ચિમકી ઉચ્‍ચારાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.04: ક્ષય વિભાગના જિલ્લાના કર્મચારીઓ દ્વારા ગુજરાત આરએનટીસીપી કરારબધ્‍ધ કર્મચારી સંઘના પ્રમુખ શ્રી હેમાંશુ પંડયાના નેજા હેઠળ સરકારની આંદોલન નિવારણ સમિતિ સમક્ષકરાયેલ લેખિત રજૂઆતમાં જણાવ્‍યું છે કે, 11 એપ્રિલના રોજ આરોગ્‍ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને એનએચએમના ડાયરેકટર રેમ્‍યા મોહનની રૂબરૂ મુલાકાત કરતા તેઓએ પડતર માંગોના યોગ્‍ય ઉકેલ માટે મૌખિક ખાત્રી આપી હતી અને તેથી ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓએ 24-માર્ચથી શરૂ કરેલ આંદોલન સ્‍થગિત કરેલ હતું, પરંતુ ત્રણ માસ કરતા વધુ સમય વિતી જવા છતાં પડતર માંગો અંગે યોગ્‍ય ઉકેલ ન આવતા ક્ષય વિભાગના કરારી કર્મચારીઓમાં રોષ અને અવિશ્વાસની લાગણી ઉભી થવા પામી છે.
ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીઓની પગાર વધારો, ટીબીએચવીને પેટ્રોલ એલાઉન્‍સ ઈન સર્વિસ મૃત્‍યુ સહાયમાં વધારો, કમ્‍પેન્‍સેશન સહિતની પડતર માંગણીઓનો અંગે તત્‍કાલ નિર્ણય નહિ લેવાય તો 15-09-2022થી પુનઃ ગાંધી ચિંધ્‍યા રાહે આક્રમક આંદોલન કરવામાં આવશે. જેમાં થનાર જાહેર આરોગ્‍ય અને દર્દીના હિતને થનાર નુકસાનીની જવાબદારી ઉપરોક્‍ત સર્વ અધિકારી પદાધિકારીઓની રહેશે તેમ જણાવ્‍યું હતું.

Related posts

દમણમાં ગુરૂવારની રાત્રિએ છતનો શેડ કાપીને 3 દુકાનોમાંથી 70 હજારની ચોરી

vartmanpravah

વાઘલધરા નેશનલ હાઈવે પર ટેન્‍કરપલ્‍ટી જતા ભીષણ આગ લાગીઃ બે લોકોના મોત

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્‍યાયની અંત્‍યોદય નીતિનું પડતું પ્રતિબિંબ

vartmanpravah

ડીપીએલ સિઝન-રની ચેમ્‍પિયન બનતી ડાભેલની જે.ડી.કિંગ્‍સ : રનર્સ અપ કચીગામની ફેન્‍સી ઈલેવન

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ-2024ની પ્રથમ રાષ્‍ટ્રીય લોક અદાલત તા.9 માર્ચે યોજાશે

vartmanpravah

Leave a Comment