Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સુરંગી ગામે મહોરમના દિવસે નમાજ પઢવા આવેલ 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમ વ્‍યક્‍તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો, જે સંદર્ભે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રઈશ મુખ્‍તાર અન્‍સારી રહેવાસી મુસ્‍લિમપાડા, સુરંગી જેઓ એમના ભાઈઓ જોડે ગામની મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલ હતા મસ્‍જિદમાંથી બહાર નીકળ્‍યા બાદ રઈશ અને તેમના બન્ને ભાઈઓ ઉપર ગામના જ એક મુસ્‍લિમ પરિવારના લોકો અને એમના સાગરીતો દ્વારા મુક્કા અને હાથ-પગ વડે ટોળામાં આવેલ લોકોએ માર માર્યો હતો. આ બાબતે રઈશના મોટા ભાઈ સાલમ અંસારીએ જણાવ્‍યું કે આ હુમલો કરનાર અમારા ગામના જ છે, જેના ઘરની દીકરી અને મારો નાનો ભાઈ રઈશ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. આ બાબતે અગાઉ પણ ચારથી પાંચ વખત અમારી ઉપર હુમલો કરવામાં આવેલ છે તેથી અમારે એટલું જ કહેવું છે કે છોકરીના પરિવારવાળા જો રાજી હોય તો અમારા ભાઈ જોડે શાદી કરે, જો નહીં રાજી હોયતો ન કરે, અમને કોઈ જ વાંધો નથી. છોકરીના પરિવારવાળા દાદાગીરી કરતા રહે છે અને કહે છે કે તમારા પરિવારને અમે ગામમાં નહિ રહેવા દઈશું. આ ઘટના અંગે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે અને અમને યોગ્‍ય ન્‍યાય મળે એવી માંગ કરી છે.

Related posts

મોટી દમણ-પટલારાના ભીખી માતાજી અને હરી હરેશ્વર મહાદેવ મંદિરના પાટોત્‍સવની ભવ્‍ય ઉજવણી સંપન્ન

vartmanpravah

દાનહમાં આદિત્‍ય એનજીઓએ શહીદ દિવસ પર કેન્‍ડલ માર્ચ કાઢી, ભગત સિંહ, સુખદેવ, રાજગુરુને આપેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવ સપ્તાહ’નું કરાયેલું સમાપન

vartmanpravah

નવસારી જિલ્લામાં રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચીખલી તાલુકાના ખૂડવેલ અને વાંસદાની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

ખાનવેલ મીની કલેક્‍ટર કચેરી દ્વારા ગ્રામ પંચાયતોમાં ‘જન સમાધાન’ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment