January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

પ્રેમ પ્રકરણમાં દાનહઃ સુરંગીમાં મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલા 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમો દ્વારા જ કરાયેલો હુમલો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલીના સુરંગી ગામે મહોરમના દિવસે નમાજ પઢવા આવેલ 3 ભાઈઓ ઉપર સ્‍થાનિક મુસ્‍લિમ વ્‍યક્‍તિઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્‍યો હતો, જે સંદર્ભે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર રઈશ મુખ્‍તાર અન્‍સારી રહેવાસી મુસ્‍લિમપાડા, સુરંગી જેઓ એમના ભાઈઓ જોડે ગામની મસ્‍જિદમાં નમાજ પઢવા આવેલ હતા મસ્‍જિદમાંથી બહાર નીકળ્‍યા બાદ રઈશ અને તેમના બન્ને ભાઈઓ ઉપર ગામના જ એક મુસ્‍લિમ પરિવારના લોકો અને એમના સાગરીતો દ્વારા મુક્કા અને હાથ-પગ વડે ટોળામાં આવેલ લોકોએ માર માર્યો હતો. આ બાબતે રઈશના મોટા ભાઈ સાલમ અંસારીએ જણાવ્‍યું કે આ હુમલો કરનાર અમારા ગામના જ છે, જેના ઘરની દીકરી અને મારો નાનો ભાઈ રઈશ સાથે પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. આ બાબતે અગાઉ પણ ચારથી પાંચ વખત અમારી ઉપર હુમલો કરવામાં આવેલ છે તેથી અમારે એટલું જ કહેવું છે કે છોકરીના પરિવારવાળા જો રાજી હોય તો અમારા ભાઈ જોડે શાદી કરે, જો નહીં રાજી હોયતો ન કરે, અમને કોઈ જ વાંધો નથી. છોકરીના પરિવારવાળા દાદાગીરી કરતા રહે છે અને કહે છે કે તમારા પરિવારને અમે ગામમાં નહિ રહેવા દઈશું. આ ઘટના અંગે ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ અરજી આપવામાં આવી છે અને અમને યોગ્‍ય ન્‍યાય મળે એવી માંગ કરી છે.

Related posts

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

ચીખલી તાલુકામાંથી પસાર થતાં નેશનલ હાઈવેના સર્વિસ રોડના નવીનિકરણનું હાઈવે ઓથોરિટી દ્વારા કામ હાથ ધરાયું : વાહન ચાલકોને રાહત થશે

vartmanpravah

ઉમરગામની મહેતા સ્‍કૂલમાં બાળકોને રક્ષણ આપતા કાયદાની જાણકારી અને સ્‍વરક્ષણ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

દમણની બદલાઈ રહેલી શકલ અને સૂરતઃ કચીગામ ચાર રસ્‍તાથી પટલારા બ્રિજ સુધી લાગેલા ડેકોરેટિવ પોલ અને લાઈટથી બદલાયેલો નઝારો

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

Leave a Comment