Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશને દાનહના જર્જરિત રસ્‍તાઓની મરામ્‍મત કરવા કલેક્‍ટરને આપેલું આવેદન પત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.05: દાદરા નગર હવેલીની નૂતન પ્રયાસ ફાઉન્‍ડેશન સંસ્‍થા દ્વારા પ્રદેશના ખરાબ રસ્‍તાઓની મરામ્‍મત કરી નવીનીકરણ કરવા માટે કલેક્‍ટરશ્રીને આવેદન પત્ર આપવામાં આવ્‍યું છે. જેમાં જણાવ્‍યા મુજબ દાદરા નગર હવેલીના મોટાભાગના મુખ્‍ય રસ્‍તાઓના સમય પર નવીનીકરણ કે મરામ્‍મત કાર્ય નહીં થવાને કારણે ચોમાસાની ઋતુ શરૂ થતાં જ રસ્‍તાઓની હાલત ખરાબ થઈ ચૂકેલ છે. રસ્‍તાઓ પર મોટા મોટા ખાડાઓ હોવાને કારણે લોકોને આવાગમન કરવા ઘણીપરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને કેટલાક રસ્‍તાઓ પર તો પગપાળા ચાલવામાં પણ પરેશાનીનો સામનો કરવા પડી રહ્યો છે. તો બીજી તરફ વાહન ચાલકોને ખાડામાં વરસાદી પાણીના ભરાવાને કારણે ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડે છે. દુઃખ સાથે જણાવીએ છીએ કે સેલવાસ શહેર, ગ્રામીણ હોય કે ઔદ્યોગિક વિસ્‍તારના રોડ ડિવાઈડર, ઝિબ્રા ક્રોસિંગ વગરના રસ્‍તાઓના કારણે ઘણી વખત દુર્ઘટનાઓ પણ થઈ રહી છે. જેમાં કેટલીય વ્‍યક્‍તિઓને શારીરિક નુકસાન થયું છે તો કેટલાક પરિવારોએ પોતાના સભ્‍યને ખોયા છે. સેલવાસ શહેર, રખોલીથી સીલી, સેલવાસથી ઉમરકુઈ, સેલવાસથી ખાનવેલ માર્ગ, જિલ્લાના કેટલાક સ્‍થાનો પર ત્‍યાંના સ્‍થાનિક વેપારીઓ અને ઔદ્યોગિક એકમોને ઘણી જ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી સંસ્‍થા દ્વારા કલેક્‍ટરશ્રીને નિવેદન કરવામાં આવ્‍યું કે વહેલામાં હવેલી તકે ખખડધજ રસ્‍તાઓની મરામ્‍મત અને નવીનીકરણ કરવામાં આવે એવી અપીલ કરવામાં આવી છે.

Related posts

સેલવાસના યુવાને અમેરિકાના ન્‍યુયોર્ક સિટીમાં ‘મિડિયા સ્‍ટડીઝ’ વિષયમાં માસ્‍ટર ડિગ્રી મેળવી

vartmanpravah

ચીખલી તાલુકાના રાનકુવા હાઇસ્કુલ ખાતે સ્નેહા 2.0 ઉદ્દઘાટન કરવામાં આવ્યું ઃ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

આજે વાપીમાં શાંતિદૂત ભગવાન બુદ્ધ જયંતીની ઉજવણી : વિશાળ રેલી યોજાશે

vartmanpravah

વલસાડના અબ્રામાની કંપનીમાં કામકાજના સ્‍થળે મહિલાઓની જાતીય સતામણી અંગે સેમિનાર યોજાયો

vartmanpravah

ધરમપુરમાં સારંગપુર દાદાનો રથ આવી વિદાય થયા બાદ હનુમાન દાદા મંદિરની મૂર્તિમાં આંસુ દેખાતા લોકો ભાવવિભોર

vartmanpravah

Leave a Comment