Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિવિધ શૈક્ષણિક એકમ દ્વારા સંયુક્‍ત પણે શિક્ષક દિનની ઉજવણી વચનામૃતમ હોલમાંકરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો દ્વારા શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરીએ અનોખી રીતે શિક્ષકનું સન્‍માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીએ શિક્ષકને સમાજના રાહબર તરીકે વર્ણવી જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્‍વ અંગે સુંદર વાતો કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માનમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યા હતા તે સાથે શિક્ષકો માટે વિવિધ વન મિનિટ ગેમનું પણ આયોજન થયું હતું જેનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળના પુરાણી સ્‍વામી પૂજ્‍ય રામ સ્‍વામી બાબુભાઈ સોડવડીયા જયશ્રીબેન સોડવડીયા, હરેશભાઈ બોઘાણી દયાબેન બોઘાણી મનસુખભાઈ ગોંડલીયા, યોગીનીબેન ગોંડલીયા, ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ડોક્‍ટર સચિન નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય મિનલ દેસાઈ, આચાર્યા રીના દેસાઈ, આચાર્યા આશા દામા, આચાર્યા દક્ષાબેન પટેલ, આચાર્યા નીતુ સિંઘ તથા સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્‍ટાફ અને 3500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નરોલી ધાપસા પાસે કેમિકલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા ટવેરા અને બાઈક ચપેટમાં આવતા 6થી વધુ લોકોને ગંભીર ઈજા

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

ડુંગરીમાં બાઈક સ્‍લીપ થઈ વીજપોલ સાથે અથડાતા પરિયાના ચાલકનું મોત

vartmanpravah

વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું

vartmanpravah

Leave a Comment