July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિવિધ શૈક્ષણિક એકમ દ્વારા સંયુક્‍ત પણે શિક્ષક દિનની ઉજવણી વચનામૃતમ હોલમાંકરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો દ્વારા શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરીએ અનોખી રીતે શિક્ષકનું સન્‍માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીએ શિક્ષકને સમાજના રાહબર તરીકે વર્ણવી જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્‍વ અંગે સુંદર વાતો કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માનમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યા હતા તે સાથે શિક્ષકો માટે વિવિધ વન મિનિટ ગેમનું પણ આયોજન થયું હતું જેનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળના પુરાણી સ્‍વામી પૂજ્‍ય રામ સ્‍વામી બાબુભાઈ સોડવડીયા જયશ્રીબેન સોડવડીયા, હરેશભાઈ બોઘાણી દયાબેન બોઘાણી મનસુખભાઈ ગોંડલીયા, યોગીનીબેન ગોંડલીયા, ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ડોક્‍ટર સચિન નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય મિનલ દેસાઈ, આચાર્યા રીના દેસાઈ, આચાર્યા આશા દામા, આચાર્યા દક્ષાબેન પટેલ, આચાર્યા નીતુ સિંઘ તથા સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્‍ટાફ અને 3500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પદ્મશ્રી પ્રભાબેન શાહે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

કેન્‍દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવે દમણવાડા પંચાયતના નંદઘરની લીધેલી મુલાકાતઃ નંદઘર નિહાળી પ્રભાવિત બનેલા મંત્રી

vartmanpravah

દાનહના કુડાચા ગામે એક કિશોરે ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

દાદરાની સરલા પર્ફોર્મન્‍સ ફાઇબર્સ કંપનીના કર્મચારીઓએ પગાર વધારા સહિતના વિવિધ મુદ્દે જિલ્લા કલેક્‍ટરને કરેલી રજૂઆત

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી બલીઠામાં ગટરની કુંડીમાં ખાબકેલ આખલાને રેસ્‍ક્‍યુ કરી બચાવાયો

vartmanpravah

Leave a Comment