Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વિસ્‍તારમાં જુગાર બેફામ : કરવડ અને ભડકમોરામાંથી જથ્‍થાબંધ જુગારીયા ઝડપાયા

કરવડ ગામેથી 17 અને ભડકમોરા ગણેશપંડાલમાંથી 10 જુગારીયા ઝડપાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી વિસ્‍તારમાં હાર-જીતનો જુગાર રમવાની ભારે મોસમ જામી હોય તેમ રોજેરોજ અનેક વિસ્‍તારોમાંથી જુગારીયા ઝડપાઈ રહ્યા છે. કોચરવા, સલવાવ બાદ આજે કરવડ અને ભડકમોરામાંથી બીજા વધુ જથ્‍થાબંધ જુગારીયાઓને એલ.સી.બી.એ ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
અત્‍યારે ગણેશ ચતુર્થીનો મહાગણેશોત્‍સવ પુરા વાપી વિસ્‍તારમાં ઉજવાઈ રહ્યો છે ત્‍યારે ઉત્‍સવની ઓથે જુગારીયા પણ ગેલમાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે. એલ.સી.બી.એ સોમવારે રાત્રે કરવડ ગામે મંદિર ફળીયામાં રેડ કરી હતી. જેમાં જુના એક મકાનમાં દિનેશ ઉર્ફે જુગલ પટેલ તેના મકાનમાં કેટલાક લોકોને એકઠા કરી પોતે જુગાર રમાડતો હતો. પોલીસે 17 જેટલા જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. દાવમાં મુકેલા રૂપિયા અંગજડતી વાહનો તથા મોબાઈલ મળી કુલ રૂા.5.64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. બીજા બનાવમાં ભડકમોરા શિવજી મંદિર પાસે ગણેશ પંડાલ પાસે 10 જેટલા જુગારીઓને એલ.સી.બી.એ. ઝડપી પાડયા હતા. કાર્યવાહીમાં રોકડ તથા મોબાઈલ મળી કુલ રૂા.26860 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Related posts

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હિકલ ઓનર વેલફેર એસોસિએશનની સામાન્‍ય સભા યોજાઈ

vartmanpravah

વાવાઝોડાની અસર : પશ્ચિમ રેલવેની 67 ટ્રેનો 16 જૂન સુધી રદ્દ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાની નેશનલ લોક અદાલતમાં 14034 કેસનો નિકાલ, રૂ.10.96 કરોડનું સમાધાન કરાયું

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment