Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરી શિક્ષક દિનની અનોખી ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે વિવિધ શૈક્ષણિક એકમ દ્વારા સંયુક્‍ત પણે શિક્ષક દિનની ઉજવણી વચનામૃતમ હોલમાંકરવામાં આવી હતી. આ પ્રસંગે સંતો દ્વારા શિક્ષકો ઉપર પુષ્‍પવૃષ્ટિ કરીએ અનોખી રીતે શિક્ષકનું સન્‍માન કરીને ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્‍થાના સ્‍થાપક પૂજ્‍ય પુરાણી સ્‍વામીએ શિક્ષકને સમાજના રાહબર તરીકે વર્ણવી જીવનમાં શિક્ષણ અને શિક્ષકનું મહત્‍વ અંગે સુંદર વાતો કરી હતી. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માનમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્‍યા હતા તે સાથે શિક્ષકો માટે વિવિધ વન મિનિટ ગેમનું પણ આયોજન થયું હતું જેનું સંચાલન વિદ્યાર્થીઓએ કર્યું હતું. આ પ્રસંગે સંસ્‍થાના ટ્રસ્‍ટી મંડળના પુરાણી સ્‍વામી પૂજ્‍ય રામ સ્‍વામી બાબુભાઈ સોડવડીયા જયશ્રીબેન સોડવડીયા, હરેશભાઈ બોઘાણી દયાબેન બોઘાણી મનસુખભાઈ ગોંડલીયા, યોગીનીબેન ગોંડલીયા, ડાયરેક્‍ટર ડોક્‍ટર શૈલેષ લુહાર, ડાયરેક્‍ટર હિતેન ઉપાધ્‍યાય, આચાર્ય ડોક્‍ટર સચિન નારખેડે, આચાર્ય ચંદ્રવદન પટેલ, આચાર્ય મિનલ દેસાઈ, આચાર્યા રીના દેસાઈ, આચાર્યા આશા દામા, આચાર્યા દક્ષાબેન પટેલ, આચાર્યા નીતુ સિંઘ તથા સમગ્ર શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્‍ટાફ અને 3500 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીનાવાંકલ-મોખાથી લઈને વજીફા ગામ સુધી દીપડાના આંટાફેરા છતાં વન વિભાગ દ્વારા માત્ર ત્રણ જ નાઈટ કેમેરા લગાવાયા

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશના પરિવહન વિભાગ દ્વારા દમણની એન્‍જિનિયરીંગ કોલેજમાં ઓટોરીક્ષા-ટેક્ષી ડ્રાઈવરો સાથે યોજાયો પ્રશિક્ષણ કાર્યક્રમ

vartmanpravah

આઈપીએસ સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્ર ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

vartmanpravah

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

Leave a Comment