Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ગત તા.07-09-2022ના રોજ વાપી સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વિજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ.ના ગિરીશભાઈ દલવી, વિકાસભાઈ શૈલી, રાજેન્‍દ્રભાઈ ગવાડ, ચંદ્રકિશોર શર્મા, નિરજભાઈ શાહ, દેવેનભાઈ ગડા ઉપસ્‍થિત રહી ઉદ્યોગકારો સાથે ઉર્જા બચત ઉપર ખૂબ જ સુંદર વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફવાપીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું સ્‍વાગત પ્રવચન કર્યું હતું. અને આગામી રવિવાર તા.11મી સપ્‍ટેમ્‍બરના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં હાજર રહી બ્‍લડ ડોનેટ કરવા માટે સર્વેને ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ આપ્‍યું હતું. સેક્રેટરી કમલેશ લાડે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.
અઆપ્રસંગે ઈએવીના આઈપી જયેશ ઘટાલિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, પૂર્વ પ્રમુખો, ટ્રસ્‍ટીઓ, સભ્‍યો અને આમંત્રિત ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહખજાનચી સંતોષ કુમારે કર્યું હતું અને આભારવિધી ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયાએ કરી હતી.

Related posts

ડેપ્યુટી કલેક્ટર ચાર્મી પારેખે દાનહમાં ભારત સ્કાઉટ ગાઈડના રાજ્ય સ્તરીય પાંચ દિવસીય રાષ્ટ્રપતિ પરીક્ષણ કેમ્પનો કરાવેલો શુભારંભ

vartmanpravah

સેલવાસઆર.ટી.ઓ.માં છેલ્લા દસ દિવસથી સર્વર ડાઉન રહેવાના કારણે અરજદારોને હાલાકી

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

વાપીના કરાયા ગામમાં ખેડૂત સેવા કેન્દ્રનો ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે પ્રારંભ

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લાના કૃષિ સમ્‍માન નિધિ યોજનાના લાભાર્થીઓએ પોતાના બેંક ખાતાને આધાર સાથે લીંક અને eKYC કરાવવા જરૂરી

vartmanpravah

Leave a Comment