Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનો વધુ ધસારો હોવાથી ટ્રેનના સ્‍ટોપેજની માંગ ઉઠી
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: તાજેતરમાં રેલ મંત્રાલય દ્વારા અમદાવાદ-મુંબઈ વચ્‍ચે નવિન વંદે ભારત નામની વધુ એક ટ્રેન ચાલુ કરવાની જાહેરાત કરી છે. આ ટ્રેનનું સ્‍ટોપેજ વાપીમાં નહી હોવાથી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી. દ્વારા વંદે ભારતનું સ્‍ટોપેજ વાપીને મળવું જોઈએ તેવી વેસ્‍ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વાપી અતિ વિકસિત ઔદ્યોગિક નગર છે. નિયમિત 2 લાખ ઉપરાંત લોકો વાપી સ્‍ટેશનથી મુંબઈ-અમદાવાદ તરફ મુસાફરી કરે છે. વાપીના ઉદ્યોગપતિઓ અને મુસાફરોને અમદાવાદ-ગાંધીનગર જવા આવવાનું નિયમિત રહે છે. તદ્દઉપરાંત દમણ-સેલવાસના મુસાફરો માટે વાપી સ્‍ટેશન એકમાત્ર છે. તેથી મુંબઈ-અમદાવાદ વચ્‍ચે નવી શરૂ થનાર વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેન શરૂ થાય તેપહેલાં તેના સ્‍ટોપેજની માંગણી શરૂ થઈ ચૂકી છે. વી.આઈ.એ. ચેરમેન કમલેશ પટેલ, સેક્રેટરી સતિષ પટેલ અને ઝેડ.આર.યુ.સી.સી.ના મેમ્‍બર લલીત કોઠારીએ વેસ્‍ટર્ન રેલવેને લેખિત રજૂઆત કરી વંદે ભારત એક્ષપ્રેસને વાપી સ્‍ટોપેજની માંગણી કરી છે.

Related posts

ઘોર લાપરવાહી…. ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં આદિવાસી સમાજની બહેનને ઍક્સપાયરી તારીખવાળો ગ્લુકોઝનો બોટલ ચઢાવાયો

vartmanpravah

સંઘપ્રદેશની સરકારી નોકરીમાં સ્‍થાનિકોને પ્રાધાન્‍ય આપવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે પ્રશાસકશ્રીને કરેલી રજૂઆત

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

દાનહઃ ખડોલીની સિદ્ધિ વિનાયક કંપનીમાં થયેલ બ્‍લાસ્‍ટમાં ત્રણ વ્‍યક્‍તિ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને આરોગ્‍ય શિબિરનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment