June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના કપરાડા-ધરમપુરમાં કમોસમી વરસાદથી કેરી પાકને થયેલ નુકશાનનો સર્વે પુરો : ખેડૂતોને વળતર મળશે

બાગાયત વિભાગની કચેરીએ 11 ગામોમાં 99 ખેડૂતોની વાડીમાં સર્વે કામગીરી પુરી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વલસાડ જિલ્લામાં ગયા સપ્તાહે કમોસમી વરસાદ થતા કરા પડયા હતા. તેથી કેરીના પાકને વ્‍યાપક નુકશાન થયું હતું. ખેડૂતો માટે કેરી એક માત્ર આવકનું સાધન હોવાથી હવામાનને કેરીના પાકને ભારે નુકશાન કર્યું હતું તેથી અસરગ્રસ્‍ત ખેડૂતો દ્વારા સરકાર પાસે નુકશાનની માંગણી કરી હતી તેથી વલસાડ બાગાયતવિભાગ દ્વારા ધરમપુર-કપરાડા વિસ્‍તારની વાડીઓમાં સર્વે પુરો કરી રિપોર્ટ સરકારને મોકલી અપાયેલ છે તેથી ખેડૂતોને નુકશાન અંગે વળતર મળશે તેવા સંકેતો સાંપડયા છે.
ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં ગયા સપ્તાહે એકાએક હવામાન બદલાયું હતું. જેને લઈને કમોસમી વરસાદ અને કરા અનેક ગામોમાં પડયા હતા તેથી કેરીના પાકને વ્‍યાપક નુકશાન થયું હતું. તેથી ખેડૂતોએ વળતર અંગે સરકારમાં માંગણી કરી હતી તે મુજબ બાગાયત કચેરી વલસાડે ધરમપુરના 7 ગામ અને કપરાડાના પાંચ ગામ મળી કુલ 11 ગામોમાં 45 હેક્‍ટરની વાડીઓમાં સર્વે કામગીરી પુરી કરી છે. જેનો જરૂરી રિપોર્ટ સરકારમાં મોકલી અપાયેલ છે. તેથી આગામી સમયે કેરી પકવતા ખેડૂતોને વળતર મળે એવી શક્‍યતાઓ જણાઈ રહી છે. વલસાડ જિલ્લામાં હજારો ખેડૂતો માટે કેરી પાક એકમાત્ર આવકનું સાધન હોવાથી સરકારે આ બાબત પણ લક્ષમાં લઈ જરૂરી તજવીજ હાથ ધરી હતી.

Related posts

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

બે વ્‍યક્‍તિઓના ઈલેક્‍ટ્રીક શોક લાગતા થયેલા મૃત્‍યુ બદલ દમણની નાનાસ હોટલનું લાયસન્‍સ રદ્‌ કરવા પ્રવાસન વિભાગે જારી કરેલો આદેશ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતોનું સરેરાશ 62.18 ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

દાનહના શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરની અધધ… રૂા.41 કરોડ 10 લાખ કરતા વધુની રોકડ સહિત સંપત્તિ

vartmanpravah

દમણ-દાનહમાં સતત વરસી રહેલો ધોધમાર વરસાદઃ દાનહમાં સાત ઇંચથી વધુ વરસાદ ખાબક્‍યો

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment