Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 177 બાળકોએ તા.11/09/2022 ને રવિવારના રોજ વાપી સલવાવ સેન્‍ટર પર પરીક્ષા આપી હતી.વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર દ્વારા રાજ્‍યવ્‍યાપી સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્‍ટી. પૂ. કપીલ સ્‍વામીના દિશાસૂચન, ડાયરેક્‍ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો. 5 થી 8 ના 177 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોમાં પાઠ્‍યપુસ્‍તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્‍યમાં આવનાર વિવિધ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્‍યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા, અર્થશાષા,, બેન્‍કિંગ, કોમ્‍પ્‍યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્‍સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

સેલવાસ-ખાનવેલ સાકરતોડ નદીમાં આવેલા પૂરના કારણે આદિવાસીઓના ઘરોમાં પૂરના પાણી ફરી વળ્‍યા

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

vartmanpravah

દાનહ ‘સંવિધાન ગૌરવ સમિતિ’ દ્વારા વિવિધ માંગોને લઈનરોલી ચાર રસ્‍તા પાસે ધરણાં પ્રદર્શન યોજાયું

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલીના માણેકપોરથી ઝડપાયેલ યુરિયા ખાતર પૃથ્‍થકરણમાં નિમ કોટેડ યુરિયા નિકળતા ચાર ઈસમો સામે ગુનો નોંધાયો

vartmanpravah

Leave a Comment