Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02 : સંઘપ્રદેશ પ્રશાસનના આરોગ્‍ય વિભાગ દ્વારા સંચાલિત દમણ કચીગામના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રને આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ નોંધપાત્ર દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા પુરસ્‍કૃત કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારત સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા રાષ્‍ટ્રીય આરોગ્‍ય મિશન(એનએચએમ) અંતર્ગત જાહેર આરોગ્‍ય સુવિધાઓમાં ગુણવત્તાપૂર્ણ સુધારણાં અને સેવાઓ સુનિヘતિ કરી તેને યોગ્‍ય રૂપ આપી ઉત્‍કૃષ્‍ટ બનાવવાના ઉદ્દેશથી રાષ્‍ટ્રીય ગુણવત્તા આશ્વાસન માનક (એનક્‍યુએએસ)ની શરૂઆત કરવામાં આવી છે. જેમાં 8 વિવિધ ક્ષેત્રના માપદંડ જેવા કે સેવા પ્રાવધાન, રોગી અધિકાર, અગ્નિશમન વગેરે સંબંધિત સેવાઓ, ડાયગ્નોસ્‍ટિક લેબોરેટરી સેવા, સંક્રમણ નિયંત્રણ, ગુણવત્તા પ્રબંધન અને ક્‍વોલિટી મેનેજમેન્‍ટના આધારે એનક્‍યુએએસ પ્રમાણપત્રનું મૂલ્‍યાંકન રાષ્‍ટ્રીય આરોગ્‍ય સેવા રિસોર્સ સેન્‍ટરના રાષ્‍ટ્રીય મૂલ્‍યાંકનકર્તાઓ દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ છે. જેમાં દમણના કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની આરોગ્‍ય સુવિધા 95.86 ટકા એનક્‍યુએએસ પ્રમાણિત ઉત્તમમૂલ્‍યાંકન પ્રાપ્ત સુવિધાજનક હોસ્‍પિટલ તરીકે પુરસ્‍કૃત કરવામાં આવી છે.
ગત 28મી જૂનના શુક્રવારે ભારત સરકારના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા દિલ્‍હીમાં આયોજીત કાર્યક્રમમાં કેન્‍દ્રના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજ્‍યમંત્રી શ્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવ અને શ્રીમતી અનુપ્રિયા પટેલ દ્વારા કચીગામ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રના ડોક્‍ટરોને પુરસ્‍કાર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને આરોગ્‍ય સેવાને શ્રેષ્‍ઠ બનાવવા માટે શરૂ કરેલા વિવિધ અભિયાનના પગલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની આરોગ્‍ય સેવા ફક્‍ત પ્રદેશમાં જ નહીં પરંતુ આજુબાજુના વિસ્‍તારોના લોકો માટે પણ આશીર્વાદરૂપ બની રહી છે.

Related posts

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Test Your Experimental Skills કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ જિલ્લામાં પ્રથમ વરસાદે રૌદ્ર સ્‍વરૂપ આણ્‍યું: ઠેર ઠેર રોડ-રસ્‍તાઓ પાણીથી લબાલબ

vartmanpravah

ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈએ દિલ્‍હી ખાતે સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને લીધેલી મુલાકાત: સાંસદશ્રીએ મંત્રીશ્રીનું ઉષ્‍માભર્યું કરેલું અભિવાદન

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા-ધરમપુર વિસ્‍તારમાં વરસાદ ઘટયા બાદ ઠેર ઠેર વિનાશ-તબાહીના દૃશ્‍યો

vartmanpravah

વાપીમાં બિલ્‍ડરો-ઉદ્યોગકારોના સહકારથી શ્રી કચ્‍છી ભાનુશાલી ટ્રસ્‍ટ મિત્ર મંડળ દ્વારા 12-13 જાન્‍યુઆરીએ સાંઇરામ દવેનો હાસ્‍ય દરબાર અને દાંડિયા કિંગ ‘‘નૈતિક નાગડાનો દાંડિયા રાસ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપ પ્રમુખ શૈલેષ પટેલની સવારે ગોળી મારી કરાયેલી હત્‍યા

vartmanpravah

Leave a Comment