April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકા દ્વારા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતીની ઉજવણી : સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમનું આયોજન

નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિત અગ્રણીઓએ ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરી : ખાદીની ખરીદી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આજે તા.2જી ઓક્‍ટોબરે મહાત્‍મા ગાંધીજીની 155મી જન્‍મ જયંતીની ઉજવણી કાર્યક્રમ વાપી નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નાણામંત્રી, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ભાજપના હોદ્દેદારો, નગરસેવકો ઉત્‍સાહભેર જોડાયા હતા.
રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિ નિમિત્તે વાપીમાં ગાંધીજીની પ્રતિમાને પુષ્‍પાંજલી અર્પણ કરાઈ હતી. નાણામંત્રી કનુભાઈદેસાઈ વિશેષ ઉપસ્‍થિત રહ્યા હતા. વાપીના ગાંધી સર્કલ સ્‍થિત ગાંધીજી પ્રતિમાને સુતરની આંટી પહેરાવી નમન કર્યા હતા. બાદમાં ગાંધી ભંડારમાં જઈને ખાદીની ખરીદી કરી હતી. તેમજ જાહેર માર્ગો પર સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રસંગે નાણામંત્રીએ જણાવ્‍યું હતું કે, ગાંધીજી સ્‍વચ્‍છતાને ખાસ પ્રાધાન્‍ય આપતા હતા તે અનુસાર વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીએ પણ સ્‍વચ્‍છતા અભિયાનને પ્રાધાન્‍ય આપ્‍યું છે. ગાંધી જયંતી ઉજવણીમાં પાલિકા પ્રમુખ પંકજ પટેલ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ, સી.ઓ. કોમલ ધિનૈયા સહિત નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિયમમાં ‘કલાઉત્‍સવ-2022’ની પ્રદેશ સ્‍તરીય યોજાયેલી સ્‍પર્ધા

vartmanpravah

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

vartmanpravah

વલસાડમાં ટ્રાફિક અડચણરૂપ લારીગલ્લા પાલિકાએ હટાવ્‍યા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં નિર્માણાધીન રાજ નિવાસ બિલ્‍ડીંગનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

વાપી છરવાડા અંડરપાસ, હાઈવે અને રેલવે આસપાસની ટ્રાફિક સમસ્‍યા નિરાકરણ માટે પોલીસ અને ઉચ્‍ચ અધિકારીઓએ ફોર્મ્‍યુલા બનાવી

vartmanpravah

Leave a Comment