(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર આયોજિત સામાન્ય જ્ઞાન બુધ્ધી કસોટી (ઞ્ધ્-ત્મ્)-2022 માં શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 177 બાળકોએ તા.11/09/2022 ને રવિવારના રોજ વાપી સલવાવ સેન્ટર પર પરીક્ષા આપી હતી.વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા રાજ્યવ્યાપી સામાન્ય જ્ઞાન બુધ્ધી કસોટી (ઞ્ધ્-ત્મ્)-2022 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્ટી. પૂ. કપીલ સ્વામીના દિશાસૂચન, ડાયરેક્ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્ટર શ્રી હિતેન ઉપાધ્યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવના ધો. 5 થી 8 ના 177 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્પર્ધાત્મક યુગમાં બાળકોમાં પાઠ્યપુસ્તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્યમાં આવનાર વિવિધ એન્ટ્રન્સ ટેસ્ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા, અર્થશાષા,, બેન્કિંગ, કોમ્પ્યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.