Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના 177 બાળકોએ ઞ્‍ધ્‍-ત્‍મ્‍ 2022 ની પરીક્ષા આપી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.11: વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર આયોજિત સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 માં શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો.5 થી 8 ના 177 બાળકોએ તા.11/09/2022 ને રવિવારના રોજ વાપી સલવાવ સેન્‍ટર પર પરીક્ષા આપી હતી.વિકાસ વર્તુળ ટ્રસ્‍ટ, ભાવનગર દ્વારા રાજ્‍યવ્‍યાપી સામાન્‍ય જ્ઞાન બુધ્‍ધી કસોટી (ઞ્‍ધ્‍-ત્‍મ્‍)-2022 ની પરીક્ષાનું આયોજન થયું હતું. જેમાં મેં. ટ્રસ્‍ટી. પૂ. કપીલ સ્‍વામીના દિશાસૂચન, ડાયરેક્‍ટર ડો. શૈલેશ લુહાર તથા ડાયરેક્‍ટર શ્રી હિતેન ઉપાધ્‍યાય અને આચાર્યશ્રી ચંદ્રવદન પટેલના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવના ધો. 5 થી 8 ના 177 બાળકોએ ભાગ લીધો હતો. આજના આ સ્‍પર્ધાત્‍મક યુગમાં બાળકોમાં પાઠ્‍યપુસ્‍તક શિક્ષણ ઉપરાંત બાહ્ય સામાન્‍ય જ્ઞાનમાં વધારો થાય અને પ્રાથમિક કક્ષાથી જ ભવિષ્‍યમાં આવનાર વિવિધ એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ, સિવિલ સર્વિસ પરીક્ષાઓ માટે સજ્જતા કેળવે તે ઉદેશ્‍યથી આ પરીક્ષાનું આયોજન થતું હોય છે. આ પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન, તર્કશાષા, અર્થશાષા,, બેન્‍કિંગ, કોમ્‍પ્‍યુટર જેવા વિષયો આવરી લેવામાં આવે છે. આ પરીક્ષા જાગૃત વાલીઓએ સહકાર આપી પોતાના બાળકોને આ પરીક્ષા માટે પ્રોત્‍સાહિત કર્યા તે બાબત પણ નોંધનીય બની રહી હતી. સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

Related posts

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

વાપીની પોદાર ઈન્‍ટરનેશનલ સ્‍કૂલમાં જન્‍માષ્‍ટમી મહોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

નમો ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ મેડિકલ એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ દ્વારા ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ-2023’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવના હસ્‍તે ‘3ડી ઓપન લોન ટેનિસ ટૂર્નામેન્‍ટ’નું ઉદ્દઘાટન કરાયું

vartmanpravah

ઉમરગામ ટાઉનમાં પોલીસ તંત્રનો સેમીનાર: ઈ-એફઆઈઆરથી ઉપસ્‍થિતોને અવગત કરાયા

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

Leave a Comment