(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ અલૌકિક અને અનુપમ એવા માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ આવેલું છે. આ ધામમાં માઁ વિશ્વંભરીનીદિવ્ય પાઠશાળા, ગોવર્ધન પર્વત, ગીર ગાયની આધર્શ ગૌશાળા, શ્રી રામની પંચકુટીર આવેલી છે. આ ધામની સંસ્થા માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રાબડા ગામની પ્રાઈમરી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને નોટબુકો તેમજ માધ્યમિક સ્કૂલમાં યુનિફોર્મ તથા નોટબુકોનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા તા.10-09-2022ના રોજ સાર્વજનિક માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને નોટબુક તથા યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આ ટ્રસ્ટના ઓથોરાઈઝ્ડ પર્સન શ્રી કિરીટભાઈ ડેડાણીયા, જીતુભાઈ ઠક્કર, આશિષભાઈ રૂપારેલ, રાબડા ગામના સરપંચ શ્રીમતિ કિન્નરીબેન ભદ્રેશ પટેલ, માજી સરપંચશ્રી જસવંત પટેલ, ગામના અગ્રણીઓ અમરતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. માધ્યમિક સ્કૂલના પ્રિન્સીપાલશ્રી દિપકભાઈએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.