April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના સમસ્‍ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની મીટિંગ શનિવારે પારડી એકલીંગજી હોલમાં યોજાઈ હતી. જેમાં તાજેતરમાં સ્‍વામિનારાયણ સંતો દ્વારા શિવજીના અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારાયા હતા. એ બાબતે મીટિંગમાં ઉપસ્‍થિત શિવભક્‍તોએ વખોડી આક્રોશ ઠાલવ્‍યો હતો.
સમસ્‍ત બ્રહ્મ સમાજના આગેવાનોની મીટિંગ પ્રમુખ બી.એન. જોષીની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, સ્‍વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાદગ સ્‍વામિએ ભગવાન શિવ ઉપર આપત્તિજનક શબ્‍દો ઉચ્‍ચાર્યા હતા, જેને લઈ શિવ ભક્‍તોમાં રોષ પેલાયેલો છે. સનાતન ધર્મ વિશે વિવાદાસ્‍પદ નિવેદનને ચલાવી લેવાશે નહી. શ્રી જોષીએ જણાવ્‍યું હતું કે, શિવ પર વિવાદાસ્‍પદ નિવેદનો હવે ન આવવા જોઈએ. સ્‍વામિનારાયણ સંતો એવા બેફામ નિવેદનોથી બચે એ જરૂરી છે. મીટિંગમાં મહુવાથી લઈ મુંબઈના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી કેબીએસ કોલેજનું ગૌરવ : ઈન્‍ટર કોલેજ ચેસ સ્‍પર્ધામાં બીજું સ્‍થાન મેળવ્‍યું

vartmanpravah

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારના ૪૯૩૨ આવાસોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે

vartmanpravah

બાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્‍સન મ્‍યુઝિયમમાં ફનવે સન્‍ડે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

વાપી ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં સ્‍થળ પર 1169 અરજીનો નિકાલ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મરવડગ્રા.પં.ના સત્‍યસાગર ઉદ્યાનથી ગંગામાતા રોડ સુધીના માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ

vartmanpravah

Leave a Comment