January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સમસ્‍ત વલસાડ જિલ્લા બ્રાહ્મણના આગેવાનોની મીટિંગ યોજાઈ: ભગવાન શિવ વિશે અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારનાર સ્‍વામિનારાયણના સંત સામેશિવભક્‍તોમાં આક્રોશ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: વલસાડ જિલ્લાના સમસ્‍ત બ્રાહ્મણ સમાજના આગેવાનોની મીટિંગ શનિવારે પારડી એકલીંગજી હોલમાં યોજાઈ હતી. જેમાં તાજેતરમાં સ્‍વામિનારાયણ સંતો દ્વારા શિવજીના અપમાનજનક શબ્‍દો ઉચ્‍ચારાયા હતા. એ બાબતે મીટિંગમાં ઉપસ્‍થિત શિવભક્‍તોએ વખોડી આક્રોશ ઠાલવ્‍યો હતો.
સમસ્‍ત બ્રહ્મ સમાજના આગેવાનોની મીટિંગ પ્રમુખ બી.એન. જોષીની અધ્‍યક્ષતામાં યોજાઈ હતી. એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્‍યું હતું કે, સ્‍વામિનારાયણ સંપ્રદાયના આનંદ સાદગ સ્‍વામિએ ભગવાન શિવ ઉપર આપત્તિજનક શબ્‍દો ઉચ્‍ચાર્યા હતા, જેને લઈ શિવ ભક્‍તોમાં રોષ પેલાયેલો છે. સનાતન ધર્મ વિશે વિવાદાસ્‍પદ નિવેદનને ચલાવી લેવાશે નહી. શ્રી જોષીએ જણાવ્‍યું હતું કે, શિવ પર વિવાદાસ્‍પદ નિવેદનો હવે ન આવવા જોઈએ. સ્‍વામિનારાયણ સંતો એવા બેફામ નિવેદનોથી બચે એ જરૂરી છે. મીટિંગમાં મહુવાથી લઈ મુંબઈના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ગોઈમાં ખાતે યોજાયેલી ગ્રામ સભામાં પાવરગ્રીડનું કામ બંધ કરવા સામૂહિક વિરોધ

vartmanpravah

આમ આદમી પાર્ટી પોતાના વધુ 20 મજબૂત ઉમેદવારોની ઘોષણા કરી

vartmanpravah

દમણના દાભેલ ચંચળ તળાવમાંથી મળી આવેલ અજાણ્‍યા પુરૂષની લાશના વાલી-વારસો સંપર્ક કરે

vartmanpravah

દાનહ રમત ગમત વિભાગ દ્વારા ઓપન લેવલ સિંગલ અને ડબલ કેરમ સ્‍પધાઈ યોજાઈ

vartmanpravah

વર્ષોથી 586 કરોડની કપરાડા વિસ્‍તારની અસ્‍ટોલ પાણી યોજના કાગળ ઉપર જ

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment