April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના મલાવ ખાતે રેલવે ફાટક ઉપર ઉમરગામથી અંબાજી રૂટ ઉપર ચાલતી મુસાફર ભરેલી એસટી બસ એકાએક બંધ પડતા મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાવા જવા પામ્‍યો હતો. સર્જાયેલી આ મુશ્‍કેલ ભરી પરિસ્‍થિતિમાં રેલવે ફાટક ઉપર અટકેલી બસને તાત્‍કાલિક દૂર કરવા રાહદારીઓ અને મુસાફરોએ ધક્કો મારી રેલવે ટ્રેક પસાર કરાવતા હાંસકારો અનુભવ્‍યો હતો.
ઉમરગામથી અંબાજી સુધી ચાલતી એસટી બસ લાંબા સમયથી કાર્યરત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ બસ આવકની દ્રષ્ટિએ પણ એસટી વિભાગ માટે નફાકારક હોવાનું જણાઈ રહ્યું છે. મુસાફરોની માંગને ધ્‍યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા બે બસ સેવા આપવામાં આવી છે. પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ બસની હાલત ખરાબ છે. બસની અંદરના મુસાફરોની બેઠક સીટ તેમજ અન્‍ય વ્‍યવસ્‍થા પણ યોગ્‍ય નથી જેની મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત છતાં એસટી તંત્ર ધ્‍યાન પર ન લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

વાપીના ડુંગરામાં પત્‍ની ઉપર ચારિત્ર્યની શંકા રાખીકસાઈ પતિએ છરા વડે પત્‍નીનું માથું કાપી નાખી કરપીણ હત્‍યા કરી

vartmanpravah

ખતલવાડ ખાતે બંધ મકાનમાં આગ લાગતા ઘરવખરીને ભારે નુકસાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા”નો ભદેલી જગાલાલાથી શુભારંભ કરાવતા જિ.પં. પ્રમુખ અલ્કાબેન શાહ

vartmanpravah

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

74મા પ્રજાસત્તાક દિવસ અને સંઘપ્રદેશના નિર્માણ દિવસ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશના મુખ્‍યાલય ખાતે મદદનીશ શિક્ષણાધિકારી પરિતોષ શુક્‍લાએ ફરકાવેલો ત્રિરંગો

vartmanpravah

Leave a Comment