Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડિસ્‍ટ્રીક્‍ટ-3232એફ2-ની રીજીયન-4માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબનો મેમ્‍બરશીપ વર્કશોપ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: લાયન્‍સ ક્‍લબ ઈન્‍ટરનેશનલના ડીસ્‍ટ્રીક્‍ટ 3232એફ2 ની રીજીયન-4 માં આવતી વાપી, વલસાડ, પારડી, ઉદવાડા અને દમણની 12 ક્‍લબના પ્રમુખ, સેક્રેટરી; ખજાનચી તથા ઉપ પ્રમુખ માટે ડીસ્‍ટ્રીક્‍ટના જીએમટી/ જીઈટી કોઓર્ડીનેટર લા.મોનાબેન દેસાઈ દ્વારા મેમ્‍બરશીપ વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. જેમાં વહીવટી દ્રષ્‍ટીએ ક્‍લબના સભ્‍યોને કેવી રીતે મોટીવેટ કરવા તથા સેવાકીય પ્રવૃત્તિમાં સારી રીતે જોડાઈને ક્‍લબ તથા ઝોન અને રીજીયન સહીત ડીસ્‍ટ્રીક્‍ટમાં કેવી રીતે નેતૃત્‍વ પૂラરુ પાડવુ તેમજ સભ્‍યોમાં જે કાંઈ સારા ગુણ/ કેપેબીલીટી છે તેનો સમાજને મહત્તમ લાભ આપી શકાય તેવું કાર્ય કરવામાં આવે તો જ ક્‍લબ થકી ડીસ્‍ટ્રીક્‍ટ વધુ મજબુત બનશે અને સમાજમાં રહેલ જરૂરીયાતમંદ વ્‍યક્‍તિઓની જરૂરીયાત પુરી કરીને સામાજીક ઉત્‍થાન કરવાના હેતુથી લા.મોનાબેન દેસાઈ દ્વારા એક નવતરપ્રયોગ કરી સફળ આયોજન કરવામાં આવેલય
આ સમયે ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર લા.મુકેશભાઈ પટેલ; વાઈસ ગવર્નર-1 લા.દીપકભાઈ પખાલે (એમજેએફ) તથા વાઈસ ગવર્નર-2 લા.પરેશભાઈ પટેલ, પીએમસીસી જસ્‍વીકાબેન દેસાઈ તથા પૂર્વ ગવર્નર લા.વસંતભાઈ પટેલ હાજર રહી યોગ્‍ય માર્ગદર્શન આપેલ.
રીજીયન ચેરમેન ખુશમનભાઈ ઢીમર, ઝોન ચેરમેન લા.પીન્‍કેશભાઈ, લા.ફાલ્‍ગુનીબેન મહેતા તથા લા.શ્રીનિવાસુલુ મીટાજી સહીત લા.મોનોબેન દેસાઈની હોમ ક્‍લબ લાયન્‍સ ક્‍લબ ઓફ સિટીલાઈટ (સુરત) ના સભ્‍યો હાજર રહી નવુ જોમ પૂラરુ પાડયુ હતું.

Related posts

સંઘપ્રદેશના ઈતિહાસમાં જોડાયેલો પ્રેરણાદાયી અધ્‍યાયઃ દાનહના આદિવાસી નેતા સ્‍વ. ભીખુભાઈ ભીમરાની બે જોડિયા દિકરીઓએ લંડનની સ્‍કૂલ ઓફ ઈકોનોમિક્‍સમાંથી મેળવેલી માસ્‍ટર્સની ડીગ્રી

vartmanpravah

દાનહ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્‍સ્‍ટેબલ હરિ ટી. ખંડારેનું હૃદય રોગના હૂમલાથી નિધનઃ પોલીસબેડામાં ફેલાયેલી શોકની લાગણી

vartmanpravah

વલસાડ બેઠક પર વર્ષ 1951માં પ્રથમ લોકસભા ચૂંટણીથી છેલ્લે 2019ની ચૂંટણીમાં 85 ઉમેદવાર ચૂંટણી જંગમાં ઉતર્યા, હવે 2024ની ચૂંટણીમાં 7 ઉમેદવારો ટકરાશે

vartmanpravah

લોકશાહીના મહાપર્વને આવકારવા કલેકટર કચેરી ખાતે રંગોળી પુરાઈ

vartmanpravah

ધરમપુરના લેડી વિલ્‍સનમ્‍યુઝિયમમાં નિઃશુલ્‍ક સમર કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

Leave a Comment