Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

રાજ્‍ય સરકાર આદિવાસી વિસ્‍તારોમાં જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્‍યાન આપી રહી છેઃ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ, ચીમનપાડા, બહેજ નાંધઇ, ખેરગામ અને વાવ ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્‍તે રસ્‍તાઓ/મકાનોના કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. ખેરગામ તાલુકામાં રૂા.1025.00 લાખના ખર્ચે રસ્‍તાઓ/મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકામોની ભેટ ધરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં સરકારે આદિવાસી વિસ્‍તારોમાં રસ્‍તાઓ/મકાનો, વીજળી, શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી જેવી જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્‍યાન આપી અગ્રતાના ધોરણે કામ કરી રહી છે. ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સરકરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઈ છે, તેને ગુજરાતની ડબલ એન્‍જીનની સરકાર પ્રમાણિક્‍તાથી આગળ વધારી રહી છે.
મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગરીબોને સશક્‍ત કરવા માટે સો ટકા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવા અભિયાન શરૂ કર્યું છે. આદિવાસી વિસ્‍તારોમાં પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહી જાય એ માટે તેજ ગતિથી કામ કરી રહ્યા છીએ તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
0000

Related posts

વલસાડના જમાઈ ધવલ પટેલને જીતાડવા પારનેરા વાસીઓમાં ભારે ઉત્‍સાહ છવાયો

vartmanpravah

મહાલક્ષ્મી મિત્ર મંડળ દ્વારા શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિરના ચોથા પાટોત્‍સવની ધામધૂમથી થઈ ઉજવણી

vartmanpravah

દાનહના સામરવરણી ગામ ખાતે નક્ષત્ર સોસાયટીમાં રહેતા યુવાનનું અજાણ્‍યા લોકોએ કરેલું અપહરણ

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

Leave a Comment