March 4, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

રાજ્‍ય સરકાર આદિવાસી વિસ્‍તારોમાં જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્‍યાન આપી રહી છેઃ આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.18: ‘વિશ્વાસ થી વિકાસયાત્રા’ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના વાડ, ચીમનપાડા, બહેજ નાંધઇ, ખેરગામ અને વાવ ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્‍તે રસ્‍તાઓ/મકાનોના કામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે તેમની સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભીખુભાઇ આહિર ખાસ ઉપસ્‍થિત રહ્યા હતાં. ખેરગામ તાલુકામાં રૂા.1025.00 લાખના ખર્ચે રસ્‍તાઓ/મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કરી પ્રજાજનોને વિકાસકામોની ભેટ ધરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીમાં સરકારે આદિવાસી વિસ્‍તારોમાં રસ્‍તાઓ/મકાનો, વીજળી, શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી જેવી જનસુખાકારી સુવિધા મળી રહે તે માટે વિશેષ ધ્‍યાન આપી અગ્રતાના ધોરણે કામ કરી રહી છે. ગુજરાતે છેલ્લા બે દાયકામાં વિકાસની નૂતન ક્ષિતિજો સરકરી છે. વિકાસ માટે નવી આકાંક્ષા અને અપેક્ષાઓ ઉભી થઈ છે, તેને ગુજરાતની ડબલ એન્‍જીનની સરકાર પ્રમાણિક્‍તાથી આગળ વધારી રહી છે.
મંત્રીશ્રી પટેલે વધુમાં ઉમેર્યુ કે, ગરીબોને સશક્‍ત કરવા માટે સો ટકા લાભાર્થીઓને યોજનાકીય લાભો આપવા અભિયાન શરૂ કર્યું છે. આદિવાસી વિસ્‍તારોમાં પાત્રતા ધરાવતો એક પણ લાભાર્થી લાભથી વંચિત ના રહી જાય એ માટે તેજ ગતિથી કામ કરી રહ્યા છીએ તેમ જણાવ્‍યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી દિપાબેન પટેલ, સરપંચશ્રીઓ, પદાધિકારીઓ અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.
0000

Related posts

વાપી કેબીએસ કોલેજમાં લીડરશીપ માટે તાલીમ યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આદિવાસી સમાજ દ્વારા વાઘબારસની પારંપરિક ઉજવણી કરાઈ

vartmanpravah

સેલવાસમાં 6 એમ એમ વરસાદ પડયો

vartmanpravah

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

પારડીમાં તિરંગા બાઈક રેલી યોજાઈ : આઝાદીના 75માં વર્ષની ઊજવણીમાં યુવાધન હિલોળે ચઢયું

vartmanpravah

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment