March 4, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના મલાવ ખાતે રેલવે ફાટક ઉપર ઉમરગામથી અંબાજી રૂટ ઉપર ચાલતી મુસાફર ભરેલી એસટી બસ એકાએક બંધ પડતા મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાવા જવા પામ્‍યો હતો. સર્જાયેલી આ મુશ્‍કેલ ભરી પરિસ્‍થિતિમાં રેલવે ફાટક ઉપર અટકેલી બસને તાત્‍કાલિક દૂર કરવા રાહદારીઓ અને મુસાફરોએ ધક્કો મારી રેલવે ટ્રેક પસાર કરાવતા હાંસકારો અનુભવ્‍યો હતો.
ઉમરગામથી અંબાજી સુધી ચાલતી એસટી બસ લાંબા સમયથી કાર્યરત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ બસ આવકની દ્રષ્ટિએ પણ એસટી વિભાગ માટે નફાકારક હોવાનું જણાઈ રહ્યું છે. મુસાફરોની માંગને ધ્‍યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા બે બસ સેવા આપવામાં આવી છે. પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ બસની હાલત ખરાબ છે. બસની અંદરના મુસાફરોની બેઠક સીટ તેમજ અન્‍ય વ્‍યવસ્‍થા પણ યોગ્‍ય નથી જેની મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત છતાં એસટી તંત્ર ધ્‍યાન પર ન લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

આજે દીવ 23 નેશનલ લો યુનિવર્સિટીના સંઘની જનરલ બોડી મીટિંગની યજમાનગીરી કરશે

vartmanpravah

સરકાર મહત્ત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સના ઝડપી વિકાસમાં રાજ્યોને સહાય કરશે, જેમાં પર્યાપ્ત આર્થિક તકોનું સર્જન સામેલ છેઃ કેન્દ્રીય નાણાં મંત્રી

vartmanpravah

માનવ-કેન્‍દ્રિત વૈશ્વિકરણ સૌને સાથે લઈને, જી20ને અંતિમ છેડા સુધી લઈ જવાનો પ્રયાસ – નરેન્‍દ્રમોદી

vartmanpravah

વલસાડ જિલ્લાના યાત્રાધામો અને ધાર્મિક સ્‍થળોને હરિયાળા બનાવવા માટે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

Leave a Comment