October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

મલાવ રેલવે ફાટક ઉપર મુસાફરો ભરેલી એસટી બસ ખોટકાતા થોડા સમય માટે સર્જાયેલો ભયનો માહોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ નજીકના મલાવ ખાતે રેલવે ફાટક ઉપર ઉમરગામથી અંબાજી રૂટ ઉપર ચાલતી મુસાફર ભરેલી એસટી બસ એકાએક બંધ પડતા મુસાફરોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાવા જવા પામ્‍યો હતો. સર્જાયેલી આ મુશ્‍કેલ ભરી પરિસ્‍થિતિમાં રેલવે ફાટક ઉપર અટકેલી બસને તાત્‍કાલિક દૂર કરવા રાહદારીઓ અને મુસાફરોએ ધક્કો મારી રેલવે ટ્રેક પસાર કરાવતા હાંસકારો અનુભવ્‍યો હતો.
ઉમરગામથી અંબાજી સુધી ચાલતી એસટી બસ લાંબા સમયથી કાર્યરત હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. આ બસ આવકની દ્રષ્ટિએ પણ એસટી વિભાગ માટે નફાકારક હોવાનું જણાઈ રહ્યું છે. મુસાફરોની માંગને ધ્‍યાનમાં રાખી એસટી વિભાગ દ્વારા બે બસ સેવા આપવામાં આવી છે. પરંતુ ફિટનેસની દ્રષ્ટિએ બસની હાલત ખરાબ છે. બસની અંદરના મુસાફરોની બેઠક સીટ તેમજ અન્‍ય વ્‍યવસ્‍થા પણ યોગ્‍ય નથી જેની મુસાફરો દ્વારા વારંવાર રજૂઆત છતાં એસટી તંત્ર ધ્‍યાન પર ન લેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related posts

વાપી દેસાઈવાડ નામધા રોડ ઉપર મોબાઈલ શોપ શટરના તાળા તૂટયા : ઘટના સીસીટીવીમાં કેદ

vartmanpravah

દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્‍ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્‍યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્‍સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ

vartmanpravah

પારડી ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરજીની 132મી જન્‍મજયંતિની ઉજવણી

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી નોટિફાઈડ વિસ્‍તારમાં વરસાદી પાણીની સમસ્‍યાનો અંત લાવવા બદલ નાગરિકોએ મંત્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કયું

vartmanpravah

દાનહના વાસોણા લાયન સફારી પાર્કમાં નવા મહેમાનનું આગમન: જૂનાગઢ પ્રાણી સંગ્રહાલયમાંથી એક સિંહને લાવવામાં આવ્‍યો

vartmanpravah

Leave a Comment