July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા ડેન્‍ગ્‍યુને ફેલાતો અટકાવવા ફોગિંગ શરૂ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને ન.પા.પ્રમુખશ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં સેલવાસ વિસ્‍તારમાં ડેન્‍ગ્‍યુ બીમારીને ફેલાતી રોકવા માટે અલગ અલગ વિસ્‍તારમાં સવારે અને સાંજે ફોગિંગ કરવામાં આવી રહ્યું છે. સેલવાસ પાલિકા દ્વારા 6 સપ્‍ટેમ્‍બરથી 13 સપ્‍ટેમ્‍બર સુધી સ્‍વચ્‍છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જે દરમ્‍યાન પાલિકાના ધ્‍યાનમાં આવ્‍યું કે સોસાયટીઓ અને દુકાનદારો દ્વારા એમની સોસાયટી અને દુકાનોની આસપાસ કચરો ફેંકી દે છે જેનાથી ગંદકી ફેલાય છે અને મેલેરિયા, ડેન્‍ગ્‍યુ જેવી બીમારીઓ ફેલાઈ છે. પાલિકા દ્વારા શહેરીજનોને નિવેદન કર્યું છે કે પોતાની સોસાયટીઓમાં અને દુકાનો તથા આજુબાજુમાં કચરો ન ફેંકે અને પાણી જમા થવા ન દે, અન્‍યથા પાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Related posts

દમણ જિ.પં.ના પૂર્વ પ્રમુખ તરૂણાબેન પટેલે દમણવાડા ગ્રામ પંચાયતની લાયબ્રેરીની લીધેલી મુલાકાત

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણને રોકવાના અભિયાનમાં ઘેલવાડ, સોમનાથ, દાભેલ અને આટિયાવાડ ગ્રામ પંચાયતોએ પણ આપેલું સમર્થન

vartmanpravah

વાપીમાં ભારતરત્‍ન ડો.બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિની દબદબાપૂર્વક ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં 12 થી 14 વર્ષની વયજુથના બાળકોને કોવિડ-19 રસીકરણનો શુભારંભ: પ્રથમ દિવસે સાંજના 4-30 વાગ્‍યા સુધીમાં 2858 બાળકોને રસી અપાઈ

vartmanpravah

દાનહ કલેક્‍ટરની અધ્‍યક્ષતામાં ‘નશામુક્‍ત ભારત’ અભિયાન અંગે જિલ્લા સ્‍તરીય યોજાયેલી બેઠક

vartmanpravah

જિલ્લા સત્ર ન્‍યાયાલયનો શકવર્તી ચુકાદો: ખાનવેલ-નાશિક રોડ પર એક વ્‍યક્‍તિની હત્‍યા કરનાર બે આરોપીઓને આજીવન કેદની સજા

vartmanpravah

Leave a Comment