April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રખોલી પુલ પરથી યુવાને નદીમા ઝંપલાવતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.14: દાદરા નગર હવેલીના રખોલી ગામે દમણગંગા નદીના પુલ પરથી એક યુવાને નદીમા ઝંપલાવતા ઘટના સ્‍થળે જ મોત થયું હતું. કિરણ નાતરે (ઉ.વ.22) રહેવાસી વાંસદા મૂળગામ જે સાયલી ગામે શોરૂમમાં નોકરી કરતો હતો જેને એક છોકરી સાથે પ્રેમ હતો પરંતુ એના પરિવારવાળાઓએ સગાઈ કરવાની ના પાડી દેતા તેને માઠું લાગી આવતા બુધવારના રોજ બપોરે દોઢ વાગ્‍યાના સુમારે રખોલી ગામે દમણગંગા નદી પુલ પરથી નીચે ઝંપલાવી દેતા યુવાન સીધો પથ્‍થરવાળી જગ્‍યા પર પડતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં ઘટના સ્‍થળ પર જ એનું કમકમાટીભર્યું મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ પહોંચી હતી અને યુવાનના ઓળખપત્રના આધારે પરિવારની ઓળખ થઈ હતી. પોલીસે યુવાનની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રખોલી અને નરોલી દમણગંગા નદી પુલ પરથી વારંવાર આત્‍મહત્‍યાની ઘટના બની રહી છે જેને અટકાવવા માટે નદીના પુલની આજુબાજુ જાળીઓ લગાવવા કેટલી વખત માંગ કરવામાં આવી છે. તેથી હવે એ કામ જરૂરી બની જવા પામ્‍યું છે. રખોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

સાંસદ લાલુભાઈ પટેલે મહાદેવ મંદિરમાં પૂજા-અર્ચના સાથે ૬૦ બાળકોને કપડાંનુ દાન કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દમણના સોમનાથ વિસ્‍તારમાં 62 વર્ષીય મહિલાની લૂંટ અને હત્‍યાઃ પોલીસે આરોપીની કરી ધરપકડ

vartmanpravah

ડાયાબિટીસ મુક્‍ત ગુજરાતઃ વલસાડમાં માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ સિવિલમાં લાશ પી.એમ. વગર કલાકો રઝળતી રહી

vartmanpravah

ખડકીમાં ટુકવાડાથીᅠઈજાગ્રસ્‍તને લઈ જતી 108 નીᅠઅડફેટેᅠચઢયો રાહદારી: સાઈરનᅠવગાડતી જતી 108 સામે મોબાઈલ પર વાતો કરવાના ધ્‍યાનમાં રાહદારી આવી ચઢતા સર્જાયો અકસ્‍માત

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 75 જિલ્લામાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોનો કરાવેલો શુભારંભ:  સેલવાસની શાખાને પણ મળેલું સ્થાન

vartmanpravah

Leave a Comment