June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વાપી સલવાવ ફાર્મસી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વિદેશ માટેની સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર, સલવાવ સંચાલિત શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ-વાપીમાં તારીખ 16/09/2022 શુક્રવારના રોજ ત્‍મ્‍ખ્‍ઘ્‍ ઘ્‍ચ્‍ન્‍ન્‍ હેઠળ ખ્‍ન્‍શ્‍પ્‍ત્‍ફત્‍ વ્‍ખ્‍ન્‍ધ્‍-2022 ના અંતર્ગત બી. ફાર્મસીના વિદ્યાર્થીઓને પોતાના અભ્‍યાસની સાથે ઘણી કોમ્‍પીટેટીવ પરીક્ષાઓ આપવાની થતી હોય છે તેના માટે કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અંજુમન મન્‍સૂરી જે હાલ યુ.કે સ્‍થિત યુનિવર્સિટી ઓફ લેઈસ્‍ટરના વિદ્યાર્થી તરીકે પ્રસ્‍થાન કરવાનીતૈયારીમાં છે તેના દ્વારા બી. ફાર્મના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે એલ્‍યુમીની ટોકનું આયોજન થયું હતું. જેમાં વિદેશમાં ભણવા જવા માટે ની સંપૂર્ણ પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું. જેમાં પ્રક્રિયા ને પૂર્ણ કરવા માટે કઈ કઈ બાબતોનું ધ્‍યાન રાખવું તેમજ કઈ રીતે અરજી કરી શકાઈ તે વિશેની માહિતી આપી હતી તેમજ વિવિધ પરીક્ષાઓ જેવી કે ઞ્‍ભ્‍ખ્‍વ્‍ અને ત્‍ચ્‍ન્‍વ્‍લ્‍ની તૈયારીઓ તથા પ્રક્રિયાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા અને વિદ્યાર્થીઓના મુંઝવણભર્યા પ્રશ્નો પણ ઉકેલ્‍યા હતા. આ કાર્યક્રમનું સમગ્ર નેતૃત્‍વ અને માર્ગદર્શન કોલેજના આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર શ્રીમતી નેહા વડગામા અને આસિસ્‍ટન્‍ટ પ્રોફેસર કુમારી પ્રિયા શુક્‍લા દ્વારા કરવામાં આવ્‍યું હતું.
આ આયોજન બદલ શ્રી સ્‍વામિનારાયણ સંસ્‍થાના અધ્‍યસ્‍થાપક પરમ પૂજ્‍યપૂરાણી સ્‍વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્‍ટી પરમપૂજ્‍ય પૂરાણી સ્‍વામી કપિલજીવનદાસજી, પૂજ્‍ય રામ સ્‍વામીજી, સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી બાબુભાઈ સોડવડીયા તથા અન્‍ય ટ્રસ્‍ટીશ્રીઓ, કેમ્‍પસ એકેડેમિક ડિરેકટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્‍પસ એડમીન ડિરેકટરશ્રી હિતેન બી. ઉપાધ્‍યાય, આચાર્યશ્રી ડો.સચિન બી. નારખેડે અને તમામ સ્‍ટાફે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

વાપી નામધા પંચાયતમાં કચરો ઉપાડવા પેટે 2500 ની લાંચ લેતા પંચાયત સભ્‍ય ઝડપાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં કરિયાણાની દુકાનમાં લાગી આગ

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ અદાલતોમાં 14મી સપ્‍ટેમ્‍બરે નેશનલ લોકઅદાલત યોજાશે

vartmanpravah

રેલવે અને પોસ્‍ટ વિભાગના સંયુક્‍ત સાહસથી ચાલતી પાર્સલ સુવિધા ઉમરગામમાં કાર્યરત કરવા યોજેલ કાર્યક્રમ

vartmanpravah

Leave a Comment