April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા રથને રવાના કરાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16: દાદરા નગર હવેલી અને દમણ દીવ ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા દાનહમાં ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્‍વચ્‍છતા પ્રદર્શન રથને જિલ્લા પંચાયતના સીઈઓ શ્રી અપૂર્વ શર્માએ લીલી ઝંડી બતાવી રવાના કર્યો હતો. પ્રદેશની દરેક ગ્રામ પંચાયતો તથા પાડાઓમાં સ્‍વચ્‍છતા રથ દ્વારા ‘સ્‍વચ્‍છતાનો સંદેશ’ પ્રદર્શિત કરવામાં આવશે અને દરેક પરિવારોમાં સ્‍વચ્‍છતા પ્રત્‍યે જાગૃકતા અભિયાન બાબતે સમજણ આપવામાં આવશે. ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન 15 સપ્‍ટેમ્‍બરથી 2 ઓક્‍ટોબર સુધી મનાવવામાં આવશે જેમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે શ્રમદાન, સ્‍વચ્‍છતા કાર્યક્રમ, કલા અભિયાન, સ્‍લોગન લખવાની હરીફાઈ, વૃક્ષારોપણ અભિયાન, ગ્રામ સભાનું પણ આયોજન કરવામાં આવશે. આ અવસરે જિલ્લા પંચાયત સીઈઓ શ્રી અપૂર્વ શર્મા, ડીપીઓ શ્રી મિથુન રાણા સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામ તાલુકામાં અતિભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

બિન્‍દ્રાબિનના માનીપાડામાં આદિવાસી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડમાં પત્નીની ગેરહાજરીમાં પતિ પરસ્ત્રીને ઘરમાં લાવતા પત્નીએ બહારથી દરવાજો બંધ કરી અભયમને મદદે બોલાવી

vartmanpravah

ઉમરગામ તાલુકામાં પશુઓમાં ફેલાયેલો લમ્‍પી વાયરસની ગંભીરતા લેવાની આવશ્‍યકતા

vartmanpravah

Leave a Comment