Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્‍કાલ કામગીરી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી આયુષ ઓકના નિર્દેશમુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્‍કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસોમાં જ 1736 પ્રચારાત્‍મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ બે દિવસમાં જ જાહેર મિલકતો પરથી 311 વોલ પેઈન્‍ટિંગ, 434 પોસ્‍ટર, 317 બેનર અને અન્‍ય 311 એમ કુલ 1373 પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્‍યારે ખાનગી મિલકતો પરથી 74 વોલ પેઇન્‍ટિંગ, 123 પોસ્‍ટર, 86 બેનર અને અન્‍ય 80 એમ કુલ 363 પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 1763 પ્રચારાત્‍મક સામગ્રી હટાવવામાં આવી છે.
આમ, જાહેર મિલકત તથા ખાનગી મિલકતો પરથી 1763 પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરી લખાણો અને રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Related posts

‘‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાનઃ કચરામાંથી કંચન બન્‍યું ધરમપુરનું બારોલિયા ગામ

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજમાં મહિલા દિન અવસરે સ્ત્રી રોગ સમસ્‍યા સેમિનાર યોજાયો

vartmanpravah

શીતળા સાતમ વ્રત નિમિતે દાનહમાં મહિલાઓએ કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

વાપીમાં ગાંધી જયંતિની ઉજવણી : ભાજપ-કોંગ્રેસના આગેવાનોએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી સાથે ઉજવણી કરી

vartmanpravah

સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓએ ઈન્‍ટર કોલેજ ટેબલ ટેનિસ વૂમન ટૂર્નામેન્‍ટમાં સિલ્‍વર મેડલ પ્રાપ્ત કર્યો

vartmanpravah

બાળકોના કુપોષણને નાબૂદ કરવા સંઘપ્રદેશમાંથી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ દમણવાડા ગ્રા.પં.ની તમામ આંગણવાડીમાં નોંધાયેલા કુપોષિત બાળકોની જવાબદારી લેતા નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવત

vartmanpravah

Leave a Comment