October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે 1763 પ્રચારાત્‍મક સામગ્રીઓ દૂર કરાઈ

જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકના નિર્દેશ મુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્‍કાલ કામગીરી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.18: ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024ની તારીખો જાહેર થતાં જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતા અમલમાં આવતાં જ વલસાડ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ કરી દેવામાં આવ્‍યો છે.
આચારસંહિતા અમલમાં આવતાં જ જિલ્લાની સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર શ્રી આયુષ ઓકના નિર્દેશમુજબ આચારસંહિતા અમલીકરણ સમિતિ દ્વારા તત્‍કાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આચારસંહિતાના અમલીકરણના ભાગ રૂપે પ્રથમ બે દિવસોમાં જ 1736 પ્રચારાત્‍મક સામગ્રી હટાવી દેવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પ્રથમ બે દિવસમાં જ જાહેર મિલકતો પરથી 311 વોલ પેઈન્‍ટિંગ, 434 પોસ્‍ટર, 317 બેનર અને અન્‍ય 311 એમ કુલ 1373 પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. જ્‍યારે ખાનગી મિલકતો પરથી 74 વોલ પેઇન્‍ટિંગ, 123 પોસ્‍ટર, 86 બેનર અને અન્‍ય 80 એમ કુલ 363 પ્રચારાત્‍મક સામગ્રીઓ હટાવી લેવામાં આવી છે. આમ, કુલ 1763 પ્રચારાત્‍મક સામગ્રી હટાવવામાં આવી છે.
આમ, જાહેર મિલકત તથા ખાનગી મિલકતો પરથી 1763 પ્રચારાત્‍મક સામગ્રી દૂર કરી લખાણો અને રેખાંકનોને ભૂંસવાની કામગીરી પણ ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

Related posts

વાપી જીઆઈડીસી ચાર રસ્‍તાથી સેલવાસ રોડની કામગીરીના પ્રારંભ સાથે જ ઉદ્‌ભવેલી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

‘‘પરીક્ષા પે ચર્ચા”માં ભાગ લેનાર શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવના 38 શિક્ષકો અને 7 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ પત્ર લખી દેશની પ્રગતિ માટેનો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો

vartmanpravah

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલીમાં ઓબીસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદપત્ર અપાયું

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

વાપી ભડકમોરા અંબિકા જ્‍વેલર્સમાં 3 બુકાનીધારી લૂંટારાઓ હવામાં ફાયરીંગ કરી રોકડ, સોના-ચાંદીના દાગીના મળી રૂા.10.70 લાખ લૂંટી ફરાર

vartmanpravah

Leave a Comment