April 20, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસને નડેલો અકસ્‍માત

બ્રેક ફેલ થતાં બસ ઝાડ સાથે અથડાઈઃ 8 મુસાફરો ઈજાગ્રસ્‍ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીના ખાનવેલ નજીક ચૌડા ગામે સેલવાસથી બોરીવલી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ગુજરાત એસ.ટી. બસ નંબર જીજે18 ઝેડ 5209નો સવારે 7 વાગ્‍યાના સુમારે અકસ્‍માત થયો હતો. બસની બ્રેક ફેઈલ થતાં તે ઝાડ સાથે ટકરાઈ હતી. આ બસમાં 14 મુસાફરો સવાર હતા. આ ઘટના જોતા આજુબાજુના લોકો દોડી આવ્‍યા હતા અને 108 એમ્‍બ્‍યુલન્‍સ અને પોલીસને જાણ કરવામા આવી હતી. બસમાં સવાર મુસાફરોમાંથી 3ને ગંભીર ઈજા થતા સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલહોસ્‍પિટલમાં સારવાર માટે અને અન્‍ય સામાન્‍ય ઈજા પામેલ મુસાફરોને ખાનવેલ સબ જિલ્લા હોસ્‍પિટલમાં સારવાર અર્થે 108 એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા ખસેડવામાં આવ્‍યા હતા. આ ઘટનામાં કોઈ જ જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી એ વલસાડ નેશનલ એસો. ફોર બ્‍લાઈન્‍ડ સંસ્‍થાને વિવિધ વસ્‍તુની કીટ આપી

vartmanpravah

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

વાપી નામધા ભવાની માતા મંદિરે અને ડુંગરા રામજી મંદિરમાં તસ્‍કરોનો હાથફેરો

vartmanpravah

દીવ સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળામાં સ્‍વામી વિવેકાનંદજીની જન્‍મ-જયંતિની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી તા.પં. ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ પટેલનું હૃદયરોગના હુમલાથી થયેલ નિધન

vartmanpravah

Leave a Comment