March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામડિસ્ટ્રીકટસેલવાસ

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ દાનહ ખાતે વ્‍યક્‍તિગત સંપત્તિના રૂપે પોલ્‍ટ્રીફાર્મ સ્‍થાપિત કરવા માટે મનરેગા અંતર્ગત મજૂરી ખર્ચ આપવા બતાવેલી તત્‍પરતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં અને દાનહ જિ.પં.ના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાની આગેવાનીમાં ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માની ઉપસ્‍થિતિમાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ટીમે આર.જી.એસ. યોજના અંતર્ગત વલસાડના ઉમરગામ તાલુકાના ફણસા-કનાડુ સ્‍થિત પોલ્‍ટ્રીફાર્મની એક્‍સપોઝર વિઝીટ કરી હતી. એક્‍સપોઝર વિઝીટનો મુખ્‍ય ઉદ્દેશ લાભાર્થીઓમાં જાગૃતતા લાવવી અને મરઘાં-બતક કે અન્‍ય પાલતુ પક્ષીઓના પાલન, તેનો વિકાસઅને સંભવિત અવસર પ્રાપ્ત કરવાનો છે.
દાનહ જિ.પં.ની મુલાકાતી ટીમને ફણસા-કનાડુ પોલ્‍ટ્રી ફાર્મના માલિક શ્રીમતી પ્રિયંકા નિલેશ ધોડીએ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, તેમને સુગુના પોલ્‍ટ્રીથી ફ્રેન્‍ચાઇઝી પ્રાપ્ત કરી કંપની દ્વારા પીલવા અને ખોરાક આપવામાં આવે છે અને 40-50 દિવસ પાલન કર્યા બાદ ખરીદી કરીને લઈ જાય છે. વર્તમાનમાં પોલ્‍ટ્રી ફાર્મમાં છ હજાર બચ્‍ચાઓનું પાલન કરી રહ્યા છીએ અને અંદાજીત 80 હજાર રૂપિયા પ્રતિ મહિને કમાણી થઈ રહી છે. મરઘાંઓના પાલન તથા દેખરેખ માટે ત્રણ વ્‍યક્‍તિઓ છે જેઓ રોજગાર પણ મેળવી રહ્યા છે.
દાનહ જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપ પ્રમુખશ્રીએ આ પહેલને સંઘપ્રદેશમાં આગળ વધારવાનો વિચાર વ્‍યક્‍ત કર્યો છે. જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારીએ જણાવ્‍યું હતું કે, દાનહમાં વ્‍યક્‍તિગત સંપત્તિના રૂપે આવા પોલ્‍ટ્રીફાર્મ સ્‍થાપિત કરવા માટે સ્‍થાનિક લોકોને ‘મનરેગા યોજના’ અંતર્ગત મજૂરી ખર્ચ પ્રાપ્ત થશે.
મુલાકાત ટાણે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા સહિત જિલ્લા પંચાયત સભ્‍યો અને વિવિધ ગામના સરપંચો તથા પંચાયત સભ્‍યો જોડાયા હતા.

Related posts

નલ સે જલ યોજનામાં વલસાડ જિલ્લાએ 100 ટકા લક્ષ્યાંક હાંસલ કર્યો, તકતીનું ઈ-અનાવરણ કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી દેશના પ08 રેલવે સ્‍ટેશનના વિકાસ માટે વર્ચ્‍યુઅલી શિલાન્‍યાસ કર્યો

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયતે પાઈપલાઈનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે કરેલી લાલ આંખ

vartmanpravah

વાપીમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભા યોજાઈઃ ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને 5 લાખની લીડ સાથે જીતાડવા હાંકલ કરી

vartmanpravah

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના નાણાં સચિવ ગૌરવ સિંહ રાજાવતની ઉપસ્‍થિતિમાં ખાનવેલ ગ્રામ પંચાયતની ઉમરવરણી, ખુટલી, ખાનવેલ, ચૌડા અને તલાવલીમાં ‘પ્રશાસન આપકે દ્વાર’ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment