Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

સેવા મિત્ર મંડળના યુવાનોએ ગુંદલાવથી ધરમપુર ચોકડી સુધીના હાઈવે ઉપરના ખાડાનું પુરાણ કર્યું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: વર્તમાનમાં સતત ત્રણ મહિના સુધી લગાતાર વરસાદ વરસતા છેલ્લા દશ વર્ષમાં ક્‍યારેય ના પડયા હોય તેવા હાઈવે અને આંતરિક રોડો ઉપર ખાડાઓનું સામ્રાજ્‍ય ઠેર ઠેર પથરાઈ ચૂક્‍યું છે. નિર્દોષ વાહન ચાલકોના યમદુત બનેલા હાઈવેના ખાડા પુરવામાં જાહેર બાંધકામ વિભાગ અને હાઈવે ઓથોરિટી તદ્દન નિષ્‍ફળ નિવડી છે ત્‍યારે વલસાડ સેવા મિત્ર મંડળના યુવાનોએ જાતે શ્રમયજ્ઞ કરીને ધરમપુર ચોકડીથી ગુંદલાવ સુધી હાઈવે ઉપરના ખાડાઓનું પુરાણ કર્યું હતું તેથી વાહન ચાલકો નિરાંત અનુભવતા જોવા મળેલા. પરંતુ જે તંત્રની નૈતિક જવાબદારી છે તેવા તંત્ર ઓફીસોમાં હવા ખાઈને માત્ર તમાસો જોઈ રહ્યા છે તેઓને વલસાડના યુવાનોએ તાર્કિક લબડાક મારી સુચક બોધપાઠ પહોંચાડયો છે.
વલસાડ જિલ્લામાં વાઘલધરાથી ભિલાડ સુધીનો નેશનલ હાઈવે વરસાદમાં ખાડા હાઈવે બનીચુક્‍યો છે ત્‍યારે લોકરોષ અને મીડિયા અહેવાલો બાદ જાહેર બાંધકામ વિભાગ અને હાઈવે ઓથોરીટીએ હાઈવે ખાડા પુરવાની થૂંક લગાડવા જેવી ડોળ દેખાડવાની કામગીરી કરી સંતોષ માણી રહી છે. તો બીજી તરફ નિર્દોષ વાહન ચાલકો એક પછી એક ખાડાઓ લઈ પટકાઈ પટકાઈ મોતને ભેટી ચૂક્‍યા છે છતાં પણ રેઢીયાળ તંત્ર હજુ નિરાંતે પોઢી રહ્યું છે. પ્રજાનો વધુ જનઆક્રોશ વિફળે તે પહેલાં રોડોની મરામત થવી જરૂરી છે. એક બે નહી વાપી સહિત જિલ્લાના તમામ રોડ બેહાલ થઈ ચૂક્‍યા છે. રોજના અકસ્‍માત, ટાયર પંચર જેવી ઘટતી ઘટનાઓમાં રોડના ખાડા જ જવાબદાર બની ચૂક્‍યા છે.

Related posts

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ શિક્ષણ સેવા કેન્‍દ્ર સલવાવ સંચાલિત તેમજ સેલ્‍યુટ તિરંગા (બેટી બચાવો, બેટી પઢાવો) ગુજરાત દ્વારા વાપી સલવાવ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓ ફિલ્‍મ મુવી ટ્રીપ યોજાઈ

vartmanpravah

ચીખલીમાં સાંસદ સી.આર.પાટીલના જન્‍મ દિવસ નિમિત્તે યોજાયેલ રક્‍તદાન શિબિરમાં 56-યુનિટ રક્‍ત એકત્ર થયું

vartmanpravah

કરવડ પ્રાથમિક શાળા ખાતે વેલશિક્ષા અભિદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

Leave a Comment