વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.25
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા ઉત્સવની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચીખલી કુમાર શાળાનો ધોરણ-8 નો વિદ્યાર્થી માધવ વિજયભાઈ રાઠોડ સમગ્ર નવસારી જિલ્લાના 6-તાલુકાના સ્પર્ધકોમાંથી વાદન (તબલા) સ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવતા શાળાના આચાર્ય સુનિલકુમાર પટેલ, શાળા પરિવાર તથા એસએમસીના સભ્યોએ વિદ્યાર્થી તેમજ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.