October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં આદિવાસી જંગલ જન જીવન આંદોલન ફરી સક્રિય બને છે

  • ખાનવેલ વિસ્‍તારમાં જંગલની જમીન ઉપર રહેતા આદિવાસી પરિવારો પ્‍લોટ પર વનવિભાગે પ્‍લાન્‍ટેશનની શરૂ કરેલી પ્રક્રિયાના વિરોધમાં આદિવાસી સમાજે કાઢેલી રેલી

  • વનવિભાગની કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસ ખાતે આવેદનપત્ર પાઠવી ઠાલવેલો આક્રોશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નટવર્ક) સેલવાસ,તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ આદિવાસી ક્ષેત્રમાં જંગલની જમીનમાં રહેતા આદિવાસી પરિવારોના પ્‍લોટ પર વનવિભાગે પ્‍લાન્‍ટેશન પ્રક્રિયા હાથ ધરતા આદિવાસી જંગલ જન જીવન આંદોલનના નેજા હેઠળ આદિવાસી સમાજે મોટી સંખ્‍યામાં એકત્ર થઈ રેલી કાઢી ખાનવેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો.
દાદરા નગર હવેલી વનવિભાગે આદિવાસીઓને ફાળવેલ પ્‍લોટ પરથી તેમની હકાલપટ્ટી કરી ખુલ્લા પ્‍લોટમાં વૃક્ષારોપણ માટે ખાડા ખોદી વૃક્ષારોપણની પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે મંગળવારે ખાનવેલ ક્ષેત્રના દુધની પટેલાદ, માંદોની પટેલાદના આદિવાસી ભાઈ-બહેનોએ આદિવાસી જંગલ વન જીવન આંદોલનના નેજા હેઠળ વિવિધ સંગઠનોને એકત્ર કરી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું.
વનવિભાગની કાર્યવાહીથી નારાજ આદિવાસી સમાજે ખાનવેલ રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસ ખાતે આવેદનપત્ર આપી આક્રોશ ઠાલવતી રજુઆત કરી હતી કે, તેમને વર્ષો પહેલા સરકારે જંગલની જમીનમાં વસવાટ કરી ગુજરાન ચલાવવા માટે આ પ્‍લોટ ફાળવેલા છે. જેમના પર તેમનો હક છે. આ મેટર મામલે 2018માં આદિવાસી સમાજે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અને 2019માં તે અંગે ચુકાદો આવ્‍યા બાદ હજુ પણ આખી મેટર પેન્‍ડિંગ છે. જો કે તે બાદ તેનુંઉલ્લંઘન કરી વનવિભાગ આદિવાસીઓની હકાલપટ્ટી કરી પ્‍લોટ ખાલી કરાવી રહ્યા છે. અને તેવા પ્‍લોટમાં ખાડા ખોદી વૃક્ષા રોપણની કામગીરી હાથ ધરી છે. જે કામગીરી કોર્ટના આદેશનો ભંગ કરે છે.
આ મામલે આખી મેટર હાઈકોર્ટમાં પેન્‍ડિંગ છે. અને વચગાળાના ચુકાદા મુજબ આદિવાસી સમાજ પાસેથી તેને ફાળવેલ પ્‍લોટનો કબજો જ્‍યાં સુધી નવો ચુકાદોના આવે ત્‍યાં સુધી લઈ શકશે નહીં. હાલ આ મામલે મંગળવારે આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્‍યામાં આંદોલન કરી રેલી સ્‍વરૂપે એકત્ર થઈ વન વિભાગને રજુઆત કરી હતી.

Related posts

સેલવાસમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના અધુરા કામને કારણે પડતી ભારે હાલાકી

vartmanpravah

કપરાડા માંડવા ગામે ટ્રક અને ટેમ્‍પો વચ્‍ચે ગમખ્‍વાર અકસ્‍માત : બન્ને વાહનના ચાલક ઈજાગ્રસ્‍ત થતા સારવાર માટે ખસેડાયા: બીજા બનાવમાં કુંભઘાટ ઉપરથી ટ્રક ખીણમાં ખાબકી

vartmanpravah

પારડી તાલુકાના પલસાણા ગામનો ઉપ સરપંચ બન્‍યો ડુપ્‍લીકેટ નાયબ મામલતદાર

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

મંગળવારે દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

આજથી શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ દ્વારા સોમનાથ ભવન ભેંસરોડ ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા યોજાશે

vartmanpravah

Leave a Comment