Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ, આછવણી દ્વારા તા.૨૫/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે સામુહિક પિતૃ શ્રાદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, નાંધઈના પરિસરમાં રાખવામાં આવ્યું છે. જેમાં જેમણે આવવું હોય એમણે ઉપરોક્ત તારીખ અને સમયે પહોંચી જવાનું રહેશે. શ્રાધ્ધમાં બેસનાર તથા સાથે આવનાર અન્ય તમામ માટે વિનામૂલ્યે મહા પ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રાદ્ધમાં બેસનારે મોટો થાળો-૧, થાળી-૨, તાંબાનો લોટો-૧, થાળી-૨, ચમચી-૨, ચોખા અને અડદનો લોટ 250-250 ગ્રામ, ફૂલ, શ્રીફળ-૧, ગાયનું દૂધ, ખાખરાના પાન, બેસવાનું આસન સાથે લાવવાનું રહેશે.
હિન્દૂ શાસ્ત્ર મુજબ અત્યારે ભાદરવો માસ ચાલે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધી પિતૃ પક્ષ કહેવાય છે, જેમાં શ્રાદ્ધ પિતૃ તર્પણ કરવાની પરંપરા છે. જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય એ દિને શ્રાદ્ધ મોટા પાયે થાય છે. પરંતુ ધર્માચાર્ય પૂ. પરભુદાદા કહે છે કે, દરેક તિથિના દેવતા છે, તે જ પ્રમાણે અમાવસ્યના પિતૃ દેવતા છે, પિતૃ દેવતાના દિવસે તમામ પિતૃઓ પિતૃ દેવતા પાસે જાય છે, જેના કારણે અમાવસ્યાના દિવસે સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે. જાણે અજાણ્યે કોઈને પિતૃ શ્રાધ્ધની તિથિ ખબર ના હોય તો એ દિને મરણ તિથિ ન હોય અને પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો પણ એની તર્પણ વિધિ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે.

Related posts

સેલવાસમાં બાઈકનું હેન્‍ડલ લાગવાને કારણે રાહદારીનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

સાદકપોર ગ્રામ પંચાયતના સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ ફગાવી દેતા સૂરસૂરિયું થઈ ગયું હોવાની અફવાની વિગતો બહાર આવી

vartmanpravah

દાનહ ઈન્‍ડિયન રિઝર્વ બટાલીયન દ્વારા રાઇઝીંગ ડે નિમિત્તે મેડિકલ અને રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા ‘સ્‍વચ્‍છ સર્વેક્ષણ’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાનનો કરાયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment