Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

તા.૨૫મીને રવિવારે આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા નાંધઇ ખાતે સામુહિક સર્વપિતૃ શ્રાધ્ધ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ, આછવણી દ્વારા તા.૨૫/૦૯/૨૦૨૨ને રવિવારના રોજ સવારે ૭-૦૦ કલાકે સામુહિક પિતૃ શ્રાદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, નાંધઈના પરિસરમાં રાખવામાં આવ્યું છે. જેમાં જેમણે આવવું હોય એમણે ઉપરોક્ત તારીખ અને સમયે પહોંચી જવાનું રહેશે. શ્રાધ્ધમાં બેસનાર તથા સાથે આવનાર અન્ય તમામ માટે વિનામૂલ્યે મહા પ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. શ્રાદ્ધમાં બેસનારે મોટો થાળો-૧, થાળી-૨, તાંબાનો લોટો-૧, થાળી-૨, ચમચી-૨, ચોખા અને અડદનો લોટ 250-250 ગ્રામ, ફૂલ, શ્રીફળ-૧, ગાયનું દૂધ, ખાખરાના પાન, બેસવાનું આસન સાથે લાવવાનું રહેશે.
હિન્દૂ શાસ્ત્ર મુજબ અત્યારે ભાદરવો માસ ચાલે છે. ભાદરવા વદ એકમથી અમાસ સુધી પિતૃ પક્ષ કહેવાય છે, જેમાં શ્રાદ્ધ પિતૃ તર્પણ કરવાની પરંપરા છે. જે તિથિએ સ્વર્ગવાસ થયો હોય એ દિને શ્રાદ્ધ મોટા પાયે થાય છે. પરંતુ ધર્માચાર્ય પૂ. પરભુદાદા કહે છે કે, દરેક તિથિના દેવતા છે, તે જ પ્રમાણે અમાવસ્યના પિતૃ દેવતા છે, પિતૃ દેવતાના દિવસે તમામ પિતૃઓ પિતૃ દેવતા પાસે જાય છે, જેના કારણે અમાવસ્યાના દિવસે સર્વપિતૃ અમાવસ્યા કહેવાય છે. જાણે અજાણ્યે કોઈને પિતૃ શ્રાધ્ધની તિથિ ખબર ના હોય તો એ દિને મરણ તિથિ ન હોય અને પિતૃ શ્રાદ્ધ કરવામાં આવે તો પણ એની તર્પણ વિધિ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે.

Related posts

ઝારખંડનો યુવાન બગવાડા પાસે ગાંધીધામ ટ્રેન અડફેટે કપાયો

vartmanpravah

ગુજરાત કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે પારડી નગરપાલિકા વોર્ડ નંબર 7માં પ્રાથમિક શાળાનું થયું લોકાર્પણ

vartmanpravah

વલસાડ તા.પં. ભાજપ સભ્‍યના રહેઠાણમાં દારૂનો જથ્‍થો ઝડપાયો

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ તથા એન.ડી.પી. ગ્રુપ ગુંદલાવ દ્વારા બ્‍લડ ડોનેશન કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

ડીપીએલમાં શિવશક્‍તિ લાયન્‍સ ટીમનામાલિક અને સોમનાથ-એના જિ.પં.સભ્‍ય રીનાબેન હરીશભાઈ પટેલે ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનાર ખેલાડીને સ્‍પ્‍લેન્‍ડર બાઈકનો આપેલો પુરસ્‍કાર

vartmanpravah

Leave a Comment