April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

1975માં કોંગ્રેસે લાદેલી કટોકટીને 50 વર્ષ પૂર્ણ : દાનહ જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કરી તત્‍કાલિન કોંગ્રેસ સરકારનાનિર્ણયને વખોડયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.25: સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ કટોકટી દિવસને વખોડવા આજે દાદરા નગર હવેલી જિલ્લા ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદેશ ભાજપ કાર્યાલય અટલ ભવન, સેલવાસ ખાતે વિરોધ પ્રદર્શન કાર્યક્રમના સંયોજક દ્વારિકાનાથ પાંડેની આગેવાની કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણ, પ્રદેશ ભાજપ મહામંત્રી જીતુભાઈ માઢા, પ્રદેશ ભાજપ સચિવ શ્રી અનિલ દીક્ષિત, દાનહ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અજય દેસાઈ, જિલ્લા ભાજપ ઉપ પ્રમુખ શ્રી હિતેશ લાલ, સેલવાસ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રજની શેટ્ટી, પ્રદેશ મહામંત્રી ઉદય સોનવણે, શ્રી સિદ્ધાર્થ શુક્‍લ, ઉત્તર ભારતીય સેલના પ્રદેશ મહામંત્રી શ્રી સ્‍વતંત્ર તિવારી, શ્રી સુનિલ મહાજન, શ્રી ધીરજ સિંહ, શ્રી મનોજ શ્રીવાસ્‍તવ, શ્રી શાંતનુ પૂજારી, શ્રી અશોક દુબે, શ્રી આર.કે.સિંઘ, શ્રીમતી સુનિતા પાલ, શ્રીમતી પ્રમિલા ઉપાધ્‍યાય, શ્રી સંદીપ તિવારી, શ્રી પ્રફુલ પટેલ, શ્રી જીજ્ઞેશ આહીર સહિત સેલવાસ શહેર જિલ્લા મંડળ મોરચાના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
કાર્યક્રમના સંયોજક શ્રી દ્વારિકાનાથ પાંડેએ ઈમરજન્‍સી અંગે જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ પાર્ટી દ્વારા બંધારણ અને લોકશાહીને કલંકિત કરવાના અંધકારમયપ્રકરણને યાદ કરીને આ અંગે જનતાને જાગૃત કર્યા હતા અને સાથે જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને દેશ કોંગ્રેસ દ્વારા 1975માં જાહેર કરાયેલ ઈમરજન્‍સીને ન તો ભૂલ્‍યો અને ન ભૂલી શકશે.

Related posts

વાપી કે.બી.એસ. એન્‍ડ નટરાજ કોલેજને ‘‘શ્રેષ્ઠ એન.એસ.એસ. કૉલેજ” પુરસ્‍કાર એનાયત થયો

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

‘આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ’ના ઉપલક્ષમાં દમણ કોસ્‍ટગાર્ડ એરપોર્ટના નવા રન-વે ઉપર યોજાયો યોગ કાર્યક્રમ

vartmanpravah

થાલા સેફરોન હોટલમાં રીન્‍યુ પાવર કંપનીના કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી પીએફ કચેરીના આસિ. કમિશ્‍નર અને એન્‍ફોર્સમેન્‍ટ ઓફિસરની જામીન અરજી નામંજુર

vartmanpravah

વાપીનું છીરી ગામ નર્કાગાર બન્‍યું : ગંદકી વચ્‍ચે ધબકતું જનજીવન : કચરાની ગટરો વહી રહી છે

vartmanpravah

Leave a Comment