Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.06 : 
સેલવાસના દયાત ફળિયા વિસ્‍તારમાં આવેલ બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાવાસી પરિવારની 17 વર્ષીય તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવતા વિસ્‍તારમાં ચકચાર જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના જિલ્લા મથક સેલવાસના દયાત ફળીયાના બ્રહ્માંડ એપાર્ટમેન્‍ટમાં રહેતા મૂળ ઓરિસ્‍સાના પરિવારની દીકરી એના પિતા નોકરી પર નીકળી ગયા બાદ ઘરે એના ભાઈ સાથે હતી. બાદમાં એનો ભાઈ પણ નીચે દુકાનમાં કોઈ સામાન લેવા ગયો તે સમયે તરુણીએ અગમ્‍ય કારણોસર ઘરની અંદર જ એકલતાનો લાભ લઈ ગળે ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. તરુણીનો ભાઈ પરત ઘરે આવ્‍યો ત્‍યારે તેણે જોયું કે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો જેથી એણે એની બહેનને બુમો મારી પણ દરવાજો ખોલ્‍યો નહતો. તેથી એના ભાઈએ બીજી ગેલેરીમાંથી ઘરમાં ડોકાવી જોતાં એની બહેન ઘરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા ભાઈના પગતળેથી જમીન સરકી ગઈ હતી. ઘટનાની જાણ આજુબાજુ લોકોને કર્યા બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમ ઘટના સ્‍ળથે પહોંચી ફાંસો ખાધેલી તરૂણીની લાશનો કબ્‍જો લઈ પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) માટે સેલવાસની સિવિલ હોસ્‍પિટલમાં લઈ જવામાં આવી હતી. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે.

Related posts

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રા.પં.ની ચૂંટણીમાં મતદાનના બીજા દિવસે પણ મતદાનની ટકાવારી આપવા અધિકારીઓ રહ્યા અસમર્થ

vartmanpravah

આર્ટ ઓફ લિવિંગના સંસ્‍થાપક અને આધ્‍યાત્‍મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજીએ સંઘપ્રદેશના પ્રશાસકશ્રીની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ધરમપુર અને કપરાડા તાલુકાના ચાર ગામોમાં સરકારી જમીનમાં ચર્ચ બાંધવાની હિલચાલ સામે ગ્રામજનોનો વિરોધ

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

Leave a Comment