July 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના લુહારી ગામનો માર્ગ અતિ બિસ્‍મારઃ ઔદ્યોગિક એકમોના માલિકો તથા આમજનતામાં ભારે આક્રોશ

દાનહમાં ત્રણ હજારથી વધુ ઔદ્યોગિક એકમ આવેલ છે જેમાંથી કેન્‍દ્ર સરકારને અંદાજીત રૂા. પાંચ હજાર કરોડથી વધુ ટેક્‍સ ચૂકવવા છતાં સુવ્‍યસ્‍થિત સુવિધા નહીં મળવાથી પ્રદેશનીજનતા, ઔદ્યોગિક એકમોના સંચાલકોમાં વ્‍યાપેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.16 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના ખરડપાડા પંચાયતના લુહારી ગામ તરફ જતો રસ્‍તો અત્‍યંત બિસ્‍માર હોવાને કારણે ઔદ્યોગિક એકમના સંચાલકોમાં તથા રોજીંદી આવન-જાવન કરનારા લોકોમાં ભારે આક્રોશ સાથે નારાજગી જોવા મળી રહી છે. પ્રદેશમાં ચોમાસા દરમિયાન વરસેલા ધોધમાર વરસાદથી રસ્‍તાઓ પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેનું પ્રશાસન દ્વારા સમારકામ પણ નહીં કરવામાં આવતા લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરડપાડા પંચાયતના લુહારી ગામ તરફ જતા રસ્‍તા પર મોટા મોટા ખાડાઓ છે જેને અગાઉ પંચાયત સભ્‍યોએ ઔદ્યોગિક એકમના સહયોગ દ્વારા પુરવામાં આવ્‍યા હતા, પરંતુ વારંવાર વરસાદ પડવાને કારણે ખાડાઓની હાલત જૈસે થે જોવા મળી રહી છે.
ઔદ્યોગિક એકમના સંચાલકોના જણાવ્‍યા અનુસાર દાદરા નગર હવેલીમાં ત્રણ હજારથી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે અને કેન્‍દ્ર સરકારને અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયાનો ટેક્‍સ ચુકવવામાં આવે છે છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવા પડે છે. તેથી પ્રશ્ન એ થાય છે કે ટેક્‍સના રૂપિયા જાય છે ક્‍યાં? હાલમાં જે રસ્‍તાઓ પર મોટા મોટા ખાડાઓ છે જેના કારણે ટ્રાન્‍સપોર્ટરો પણ વાહનોમોકલાવવામાં આનાકાની કરી રહ્યા છે અને જો વાહનો મોકલાવે તો ડબ્‍બલ ભાડું વસૂલવામાં આવે છે. હાલમાં રસ્‍તાઓ પર ત્રણથી ચાર ફૂટના ખાડાઓ છે જેના કારણે વાહનો પણ ખખડધજ બની રહ્યા છે જેની જેના નુકસાનની ભરપાઈ કોણ કરશે?
સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જો પ્રશાસન દ્વારા આ રસ્‍તાઓનુ સમારકામ નહીં કરવામાં આવશે તો ઔદ્યોગિક એકમના માલિકો આંદોલનના માર્ગે જશે એમાં કોઈ સંદેહ નથી.
પ્રદેશના જર્જરિત રસ્‍તાઓ માટે વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ કલેક્‍ટરથી લઈ લાગતા વળગતા વિભાગોને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે છતાં પણ પ્રશાસન દ્વારા આંતરિક રસ્‍તાઓ પ્રત્‍યે લક્ષ આપવામાં આવી રહ્યું હોવાનું જણાતું નથી.

Related posts

ડાંભેર ગામે નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્‍યક્ષસ્‍થાને રાત્રિ સભા યોજાઈ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશમાં, યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના સચિવ પૂજા જૈનના માર્ગદર્શન અને યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગના નિર્દેશક અરૂણ ગુપ્તાના સહયોગથી દમણમાં 73મા પ્રજાસત્તાક દિવસ/3જા વિલીનીકરણ દિવસની ઉજવણી નિમિત્તે તા. 16થી ર0 ફેબ્રુ. સુધી ક્રિકેટ ટૂર્નામેન્‍ટ (ટીર0)નું આયોજન

vartmanpravah

સંજાણની અમર ટી કંપનીનું રસ્‍તા વિવાદી પ્રકરણ નિર્ણાયક તબક્કામાં

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દાનહ: સિલી સ્થિત કેએલજે ગ્રુપ ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ યુનિટ નંબર-2 કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખુલ્લેઆમ છોડાતા ખેતરોની જમીન સહિત પાકને થઈ રહેલું નુકસાન

vartmanpravah

પ્રદૂષણમુક્‍ત જીવન માટે વલસાડ નેચર કલબ દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે સાઈકલિંગનુ આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment