October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પાંચ વર્ષે પારડીથી અપહરણ થયેલ સગીરાને વેસ્‍ટ બંગાળથી શોધી લાવતી પારડી પોલીસ

પારડી પોલીસે અપહરણ કરનારને જેલના હવાલે કરી સગીરાના વાલી-વારસને પુખ્‍ત બનેલ સગીરાનો દોઢ વરસના બાળક સાથે કબજો સોંપ્‍યો

પારડી તાલુકાના એક ગામમાંથી 2018માં ક્રિષ્‍નાપડા સહદેવ ચૌધરી ઉંમર વર્ષ 25 નામનો વ્‍યક્‍તિ એક સગીરાનું અપહરણ કરી ગયો હતો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: નવા આવેલ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા તથા નાયબ પોલીસ અધિક્ષક એ.કે. વર્મા દ્વારા આવા અપહરણ થયેલ સગીરો પ્રત્‍યે ગંભીરતા દાખવીને આવા કેસોને શોધી કાઢવાની આપેલ સૂચના અનુસાર પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાને પારડી પોલીસસ્‍ટેશન વિસ્‍તારમાંથી 2018માં એક સગીરાનુ અપહરણ થયેલ હોવાનું ધ્‍યાને આવતા તેઓએ આ કેસને ગંભીરતાથી લઈ વધુ તપાસને અંતે અપહરણ કરનાર હાલમાં વેસ્‍ટ બંગાળ ખાતે હોવાનું માહિતી પ્રાપ્ત થતા પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઇ. ડી. એલ. વસાવાને વેસ્‍ટ બંગાળ ખાતે મોકલી અપહરણ કરનાર આરોપી ક્રિષ્‍નાપડા સહદેવ ચૌધરી. ઉંમર વર્ષ 25 રહે.કલજુરી ગામ, પોસ્‍ટ. છત્રકરણી તાલુકા જિલ્લા બાનકુરા, વેસ્‍ટ બંગાળની ધરપકડ કરી જે તે સમયની સગીરા આજે પુખ્‍ત વયની દોઢ વર્ષના બાળકની માતા બનેલની સાથે પારડી પોલીસ સ્‍ટેશન ખાતે લાવી જે તે સમયની સગીરાને પોતાના દોઢ વર્ષના બાળક સાથે એમના વાલીને સોંપી અપહરણ કરનાર કળષ્‍ણપડા સહદેવ ચૌધરીને અપહરણ, બળાત્‍કાર તથા પોસકો જેવી કલમો હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે.
આમ પારડી પોલીસને પાંચ વર્ષ જુના અપરણ કેસમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

Related posts

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

vartmanpravah

ફડવેલની એચ.ડી. સાર્વજનિક વિદ્યામંદિરના કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતોના હસ્‍તે કરવામાં આવ્‍યું

vartmanpravah

એસઆઈએની ટીમમા હવે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની દેખાઈ રહેલી ઉત્‍સુકતા

vartmanpravah

દાનહના લુહારી ખાતે ‘મોન્‍સૂન મેડલી ફેસ્‍ટીવલ’નું એસ.પી. રાજેન્‍દ્ર પ્રસાદ મીણાના હસ્‍તે કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

વાપી એસ.ઓ.જી.ને મળેલી સફળતા : બે પિસ્‍તોલ અને ચાર જીવતા કારતૂસ સાથે પાંચને ઝડપી પાડયા

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

Leave a Comment