July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના બોડવાંક, કાંગવાઈ, સુરખાઈ, હરણગામ, ખરોલી, કુકેરી, સરવાણી, અંબાચ, ફડવેલ, માંડવખડક, કાકડવેલ, વેલણપુર, ઝરી, ઢોલુમ્‍બર ગામો અને વાંસદા તાલુકાના ઘોડમાળ,લાછકડી, વાડીચોંઢા, ચોંઢા, કણધા અને ખાટાઆંબા ગામો ખાતે રાજ્‍યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલના હસ્‍તે રસ્‍તાઓ સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. ચીખલી તાલુકા વિસ્‍તારમાં રૂા.14.74 કરોડના ખર્ચે 268 કામો અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના ખર્ચે દસ નાના મોટા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું હતું કે છેલ્લા 20 વર્ષના વિકાસ અભિમુખ શાસનમાં સરકારે વિકાસની ગતિને તેજ બનાવી છે. છેવાડાના ગ્રામજનો સુધી રસ્‍તાઓ, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્‍ય લગતી સેવા માટે આયુષ્‍માન કાર્ડ, શૌચાલય અને ઉજ્જવલા જેવી સુવિધાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય તે માટે નો લોકાભિમુખ અભિગમ રાજ્‍ય સરકારનો રહ્યો છે. સાથોસાથ વિવિધ ગામોના રસ્‍તાઓનું રિસ્‍ટ્રક્‍ચરીંગ અને મજબૂતીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્‍યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ કલ્‍પનાબેન ગાંવિત,વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, ગામોના સરપંચો, અધિકારીઓ, પદાધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah

સેલવાસની યુવતી દ્વારા મૌલાના પર દુષ્‍કર્મના આરોપમા મૌલાનાના સેમ્‍પલો પણ ફોરેન્સિક ટેસ્‍ટ માટે મોકલાયા

vartmanpravah

વલસાડ જિલ્લાનો વરસાદ: કપરાડા તાલુકામાં 1112 મી.મી. ( 43.78 ઇંચ)વરસી ચૂકયો છે

vartmanpravah

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

vartmanpravah

વાપી સલવાવ બ્રીજ પાસે રિક્ષા-કન્‍ટેનર વચ્‍ચે અકસ્‍માત સર્જાયો : કન્‍ટેનરે ડિવાઈડર તોડી દીધું

vartmanpravah

ડોકમરડી ખાતેની ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્‍સવ’ અંતર્ગત નિબંધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment