(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18 : દાદરા નગર હવેલીના ડોકમરડી ખાતે આવેલી ડો. એ.પી.જે. અબ્દુલ કલામ કોલેજમાં ‘ખાદી મહોત્સવ-2023′ અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન કોલેજના આચાર્ય ડો. ભગવાનજી ઝાના માર્ગદર્શનમાં કોલેજના આઈ.ક્યુ.એ.સી. વિભાગ અને હીન્દી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 27 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ‘ખાદી’ વિષય ઉપર હિન્દી અને ગુજરાતી ભાષામાંપોતાના વિચારો રજૂ કરતા નિબંધો લખીને રજૂ કર્યા હતા.
અત્રે યાદ રહે કે, દેશભરમાં ‘ખાદી મહોત્સવ 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી મનાવવામાં આવી રહ્યો છે.