June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

જગદીશ ત્રિવેદીનાં પંચાવનમાં જન્‍મદિવસે એમના બે પુસ્‍તકોનું ભવ્‍યાતિભવ્‍ય વિમોચન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ગઈ તા.17/10/22 સોમવાર સવારે સુરેન્‍દ્રનગરના પંડીત દિનદયાળ હોલમાં ગુજરાતી ભાષાનાં સ્‍વનામધન્‍ય કલાકારો, લેખકો, કવિઓ, શિક્ષણવિદોનો મેળો ભરાયો હતો.
આપણાં સૌના જગદીશ ત્રિવેદીના તા.12/10/22ના રોજ પંચાવન વર્ષ પુરા થયા એની ખુશાલીમાં એમના જીવન ઉપર લખાયેલું પુસ્‍તક ‘‘વંદુ એ જગદીશને” તથા ‘‘સેવાનું સરવૈયું” એમ કુલ બેપુસ્‍તકોના વિમોચનનો ભવ્‍ય કાર્યક્રમ થઈ ગયો. જેમાં ગુજરાતી ભાષાના દોઢસોથી વધું કલાકારો, લેખકો કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં મુખ્‍ય સચિવ પી.કે. લહેરી, અકાદમીના અધ્‍યક્ષ ભાગ્‍યેશ જહા, જાણીતા કવિ તુષાર શુક્‍લ, હાસ્‍યકલાકાર સાંઈરામ દવે, લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીર, મોટીવેશનલ સ્‍પીકર સંજય રાવલ, ઉપરાંત પદ્‌શ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનૂજ, જાણીતા લેખકો રજનીકુમાર પંડયા, શૈલેશ સગપરીયા, મહેશ યાજ્ઞિક, ડો.બળવંત જાની ઉપરાંત ધારાસભ્‍ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજુલાના ધારાસભ્‍ય શ્રી અમરીશભાઈ ડેર, જીલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ, નગરપાલિકા પ્રમુખ વિરેન્‍દ્રભાઈ આચાર્ય, વાપીના સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા સહિત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આશરે એક હજાર માણસોથી ખીચોખીચ ભરેલા દિનદયાળ હોલમાં સૌએ જગદીશ ત્રિવેદીની સેવાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.જે. આકાશે કર્યુ હતું.

Related posts

વાપી કોચરવા ભાજપ નેતા શૈલષ પટેલ હત્‍યા પ્રકરણમાં વધુ બે શાર્પશૂટર ઝડપાયા

vartmanpravah

વલસાડના કોસંબા ગામે રાત્રે બંધ દુકાનમાં આગ લાગતા અફરા તફરી મચી જવા પામી

vartmanpravah

વિદ્યાર્થીઓમાં પોષણ અને આરોગ્‍યના મહત્ત્વ બાબતે જાગૃત કરવાના ઉદ્દેશથી દાદરા નગર હવેલીના મસાટની સરકારી ગુજરાતી માધ્‍યમ શાળામાં સેમિનાર યોજાયો

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના 73મા જન્‍મદિવસના ઉપલક્ષમાં વાપી નગરપાલિકા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અને પીએમજેએવાય યોજના અંતર્ગત લાભાર્થીઓને નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે આવાસની પ્રતીકાત્‍મક ચાવી અને આયુષ્‍માન કાર્ડનું કરાયેલું વિતરણ

vartmanpravah

વલસાડ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનો ડંકો : 9 કળતિમાં વિજેતાક્રમ પ્રાપ્ત કર્યો

vartmanpravah

માંડા સંત નિરંકારી મિશનનો સેવાયજ્ઞઃ રક્‍તદાન શિબિરમાં 285 બોટલ રક્‍ત એકત્રિત કરી સમાજસેવાનું રજૂ કરેલું ઉત્તમ દ્રષ્ટાંત

vartmanpravah

Leave a Comment