Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદમણવલસાડવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ

ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં મધુબન ડેમમાં પાણીની આવક વધતાં 10 દરવાજા 2.70 મીટર ખોલાતા દમણગંગા બે કાંઠે વહીઃ નીચાણના તમામ રહેણાંક વિસ્‍તારોને સાવચેત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ, તા.27 : દાદરા નગર હવેલીમાં ગત બુધવારની રાત્રિના 8 વાગ્‍યાથી લઈને આજે ગુરૂવારે રાત્રિના 8 વાગ્‍યા સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો હતો. ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા તમામ દસ દરવાજા 2.70મીટર સુધી ખોલવામાં આવ્‍યા છે, જેના કારણે દમણગંગા નદી બન્ને કાંઠે વહેતી જોવા મળી હતી. ભયજનક સપાટી 82 મીટર છે પરંતુ આગોતરા આયોજન અંતર્ગત સત્તાવાળાઓએ પાણી છોડવાનું નક્કી કરાયું છે. નીચાણવાળા વિસ્‍તારોમાં રહેતા લોકોને એલર્ટ કરાયા છે. દાદરા નગર હવેલી અને વાપી તથા દમણના નદી તટના તમામ 37 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા છે અને લોકોને દમણગંગા નદી કિનારે નહીં જવાની લોકોને જાહેર અપીલ કરવામાં આવી છે. વધુ વરસાદને કારણે 84 જેટલા રસ્‍તા ઓવરટેપિંગને લઈ બંધ થયા છે.
દમણગંગા નદીમાં પાણી છોડવાથી પૂરની સ્‍થિતિને જોતાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા નદીકિનારે, સેલવાસ રિવરફ્રન્‍ટ ઉપર નહીં જવા અને લોકોને સાવચેત તાકીદ કરવામાં આવી છે. સેલવાસમાં 3 ઇંચ(85.2એમએમ), ખાનવેલમાં 4.78 ઇંચ(121.3એમએમ) વધુ વરસાદ વરસ્‍યો. સંઘપ્રદેશ દાનહમાં સિઝનનો કુલ વરસાદમાં સેલવાસમાં 75ઇંચ (1905.0 એમએમ) અને ખાનવેલમાં 66.92 ઇંચ (1699.0એમએમ) વરસી ચુક્‍યો છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમનું લેવલ 72.55 મીટર છે અને ડેમના તમામ દસે દસ દરવાજા 2.70મીટર સુધી ખોલી દેવામાં આવ્‍યા છે. ડેમમાં પાણીની આવક 104343 ક્‍યુસેક અને જાવક 94393 ક્‍યુસેક છે.

Related posts

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પર્યાવરણ અને ગૌમાતાને બચાવવા યુવા નેતા તનોજ પટેલની નવતર પહેલ

vartmanpravah

વલસાડ એલ.સી.બી.એ નાસતા ફરતા પાંચ વોન્‍ટેડ આરોપીને ઝડપી જે તે પો.સ્‍ટે.ને સોંપ્‍યા

vartmanpravah

દાનહમાં વિરેન્‍દ્ર ચૌધરી હત્‍યા પ્રકરણમાં શરૂ થયેલો ધરપકડનો દૌર અને દમણ-દીવમાં અધિકારીઓના ભ્રષ્‍ટાચાર સામે શરૂ થયેલું ઓપરેશન

vartmanpravah

સિમલા ખાતે ભાજપ અનુ.જાતિ મોરચાના રાષ્‍ટ્રીય પદાધિકારીઓની મળેલી બેઠકમાં ચિંતન-મનન: દેશમાં અનુ.જાતિ સમુદાયના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે ભાજપ દ્વારા થનારા ઠોસ પ્રયાસો

vartmanpravah

વાપીમાં માઁ ઉમિયાના દિવ્‍યરથનું સમસ્‍ત પાટીદાર સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

Leave a Comment