October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

વંદુ એ જગદીશને કાર્યક્રમ અંતર્ગત સુરેન્‍દ્રનગરમાં કલાકારો-લેખકોનો મેળો ભરાયો

જગદીશ ત્રિવેદીનાં પંચાવનમાં જન્‍મદિવસે એમના બે પુસ્‍તકોનું ભવ્‍યાતિભવ્‍ય વિમોચન થયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: ગઈ તા.17/10/22 સોમવાર સવારે સુરેન્‍દ્રનગરના પંડીત દિનદયાળ હોલમાં ગુજરાતી ભાષાનાં સ્‍વનામધન્‍ય કલાકારો, લેખકો, કવિઓ, શિક્ષણવિદોનો મેળો ભરાયો હતો.
આપણાં સૌના જગદીશ ત્રિવેદીના તા.12/10/22ના રોજ પંચાવન વર્ષ પુરા થયા એની ખુશાલીમાં એમના જીવન ઉપર લખાયેલું પુસ્‍તક ‘‘વંદુ એ જગદીશને” તથા ‘‘સેવાનું સરવૈયું” એમ કુલ બેપુસ્‍તકોના વિમોચનનો ભવ્‍ય કાર્યક્રમ થઈ ગયો. જેમાં ગુજરાતી ભાષાના દોઢસોથી વધું કલાકારો, લેખકો કવિઓ અને શિક્ષણવિદો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં મુખ્‍ય સચિવ પી.કે. લહેરી, અકાદમીના અધ્‍યક્ષ ભાગ્‍યેશ જહા, જાણીતા કવિ તુષાર શુક્‍લ, હાસ્‍યકલાકાર સાંઈરામ દવે, લોકસાહિત્‍યકાર માયાભાઈ આહીર, મોટીવેશનલ સ્‍પીકર સંજય રાવલ, ઉપરાંત પદ્‌શ્રી શાહબુદ્દીન રાઠોડ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ, જાણીતા કવિઓ વિનોદ જોશી, મનોહર ત્રિવેદી, માધવ રામાનૂજ, જાણીતા લેખકો રજનીકુમાર પંડયા, શૈલેશ સગપરીયા, મહેશ યાજ્ઞિક, ડો.બળવંત જાની ઉપરાંત ધારાસભ્‍ય શ્રી ધનજીભાઈ પટેલ, રાજુલાના ધારાસભ્‍ય શ્રી અમરીશભાઈ ડેર, જીલ્લા કલેકટર શ્રી કે.સી. સંપટ, નગરપાલિકા પ્રમુખ વિરેન્‍દ્રભાઈ આચાર્ય, વાપીના સામાજિક કાર્યકર સુધીરભાઈ સાવલીયા સહિત અનેક કલાકારો, લેખકો, કવિઓ, ઉદ્યોગપતિઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આશરે એક હજાર માણસોથી ખીચોખીચ ભરેલા દિનદયાળ હોલમાં સૌએ જગદીશ ત્રિવેદીની સેવાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.જે. આકાશે કર્યુ હતું.

Related posts

ધરમપુરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની શાનદાર ઉજવણી

vartmanpravah

પાલઘરના બાળકની શ્વાસનળીમાં ફસાયેલુ સીતાફળનું બી વલસાડ સિવિલમાં ઓપરેશન કરી બહાર કઢાયુ

vartmanpravah

બે બોગસ જન્‍મ પ્રમાણપત્ર રાખવાના પ્રકરણમાં દીવ જિ.પં.ના સભ્‍ય પદેથી ઉમેશ રામા બામણિયાને સસ્‍પેન્‍ડ કરાયા: સંઘપ્રદેશના પંચાયતી રાજ સચિવ ગૌરવ સિંહ રાજાવતે જારી કરેલો આદેશ

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં વિદ્યાર્થીઓ માટે ‘‘વિદ્યારંભ” કાર્યક્રમનું કરાયેલું આયોજન

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

વણાંકબારા શ્રી વડી શેરી કોળી સમાજ નવા હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી

vartmanpravah

Leave a Comment