April 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૦: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડના તાબા હેઠળ આવેલા સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, વલસાડ ખાતે વઘઈ ખેતીવાડી કોલેજના B.Sc. એગ્રીકલ્ચરના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા ૬૮ વિધાર્થીઓને તા. ૨૦/૦૯/૨૦૨૨ થી તા.૧૯/૧૦/૨૦૨૨ દરમ્યાન ૩૦ દિવસની નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવી હતી. જે દરમ્યાન બાગાયત નિયામકશ્રી ડૉ. પી. એમ. વઘાસિયા દ્વ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તથા નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ શ્રી. ડી. કે. પડાલિયા દ્વ્રારા વિધાર્થીઓને આંબાની ખેતી તથા ફુલપાકોની રક્ષિત ખેતી વિષે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો,ચણવઈના પ્રોજેકટ ઓફીસર ડૉ. એન. ડી. મેહતા દ્વ્રારા સેંન્ટરની કામગીરીઓ તથા ફુલપાકોની ખેતી વિષે માહીતી આપવામાં આવી હતી.
વિધાર્થીઓને ખુલ્લા ખેતરોમાં થતા ફુલપાકો તથા રક્ષિત ફુલપાકોની ખેતી, પ્લગ ટ્રે નર્સરી મેનેજમેન્ટ, ફુલપાકો તથા ફળપાકોની વિવિધ કલમો બનાવવાની તાલીમ, નર્સરી મેનેજમેન્ટ, આંબાપાકોની વૈજ્ઞાનિક ખેતી, મધમાખી પાલન, બાગાયતી પાકોનો નિકાસ ફાર્મ રજીસ્ટ્રેશન, નર્સરી રજીસ્ટ્રેશન, કેનીંગ તથા મશરૂમની ખેતીની પ્રાયોગિક તાલીમ બાગાયત અધિકારી આર.પી. પટેલ, બાગાયત નિરીક્ષક બી.એચ.પટેલ, બાગાયત નિરીક્ષક એન.બી ટંડેલ તથા અન્ય બાગાયત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તા.૧૯/૧૦/૨૦૨૨ ના રોજ તાલીમ પૂર્ણ થતા વિધાર્થીઓને સર્ટિફીકેટ વિતરણ કરી તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું

Related posts

હિન્‍દી વિષયના પ્રભાવશાળી પ્રવક્‍તા ડોં. વિનોદ સિંહ ચૌહાણ ‘પ્રસૂન’ દ્વારા શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડિંગ શાળામાં હિન્‍દી વિષય પર વર્કશોપનું સફળ આયોજન

vartmanpravah

દીવ નગરપાલિકાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખીને મતદારોને જાગૃત કરવા ઈવીએમનું કરાયેલું જાહેર પ્રદર્શન

vartmanpravah

નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.28.59 કરોડના ખર્ચે બનેલા ડુંગરી રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ

vartmanpravah

દાનહના નરોલી સોલંકી પરિવાર દ્વારા અંતિમરથનું લોકાર્પણ કરાયું

vartmanpravah

26- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્‍ત કરાયેલા બે ઓર્બ્‍ઝવરોએ મત ગણતરી સ્‍થળનું નિરિક્ષણ કર્યું

vartmanpravah

અધ્‍યક્ષ પવન અગ્રવાલ અને પૂર્વ અધ્‍યક્ષ આર.કે.કુંદનાનીના નેતૃત્‍વમાં દમણ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસો.ના પ્રતિનિધિ મંડળે પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો NIFTના આરંભ માટે માનેલો આભાર

vartmanpravah

Leave a Comment