July 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ ખાતે B.Sc. એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૦: નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડના તાબા હેઠળ આવેલા સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, વલસાડ ખાતે વઘઈ ખેતીવાડી કોલેજના B.Sc. એગ્રીકલ્ચરના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા ૬૮ વિધાર્થીઓને તા. ૨૦/૦૯/૨૦૨૨ થી તા.૧૯/૧૦/૨૦૨૨ દરમ્યાન ૩૦ દિવસની નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવી હતી. જે દરમ્યાન બાગાયત નિયામકશ્રી ડૉ. પી. એમ. વઘાસિયા દ્વ્રારા વિધાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું તથા નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ શ્રી. ડી. કે. પડાલિયા દ્વ્રારા વિધાર્થીઓને આંબાની ખેતી તથા ફુલપાકોની રક્ષિત ખેતી વિષે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમ્યાન સેંન્ટર ઓફ એકસેલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો,ચણવઈના પ્રોજેકટ ઓફીસર ડૉ. એન. ડી. મેહતા દ્વ્રારા સેંન્ટરની કામગીરીઓ તથા ફુલપાકોની ખેતી વિષે માહીતી આપવામાં આવી હતી.
વિધાર્થીઓને ખુલ્લા ખેતરોમાં થતા ફુલપાકો તથા રક્ષિત ફુલપાકોની ખેતી, પ્લગ ટ્રે નર્સરી મેનેજમેન્ટ, ફુલપાકો તથા ફળપાકોની વિવિધ કલમો બનાવવાની તાલીમ, નર્સરી મેનેજમેન્ટ, આંબાપાકોની વૈજ્ઞાનિક ખેતી, મધમાખી પાલન, બાગાયતી પાકોનો નિકાસ ફાર્મ રજીસ્ટ્રેશન, નર્સરી રજીસ્ટ્રેશન, કેનીંગ તથા મશરૂમની ખેતીની પ્રાયોગિક તાલીમ બાગાયત અધિકારી આર.પી. પટેલ, બાગાયત નિરીક્ષક બી.એચ.પટેલ, બાગાયત નિરીક્ષક એન.બી ટંડેલ તથા અન્ય બાગાયત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તા.૧૯/૧૦/૨૦૨૨ ના રોજ તાલીમ પૂર્ણ થતા વિધાર્થીઓને સર્ટિફીકેટ વિતરણ કરી તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું

Related posts

વાપીના ઉદ્યોગકારોની વર્ષો જૂની માંગણી સરકારે સ્‍વીકારીઃ નોટીફાઈડ બોર્ડનું પુનઃ ગઠન કરવામાં આવશે

vartmanpravah

દાનહના કેટલાક વિસ્‍તારોમાં વાયરલ ફીવર અને ડેંગ્‍યુના કેસોમાં થયેલો વધારો સેલવાસમાં ડેંગ્‍યુની સારવાર લઈ રહેલા યુવાનનું થયું મોત

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયથી 5 વિધાનસભા દીઠ નમો કિસાન ઈ-બાઈકને સાંસદ ડો.કે.સી.પટેલ દ્વારા પ્રસ્‍થાન કરાવાઈ

vartmanpravah

દાદરાથી ગેરકાયદેસર દારૂના જથ્‍થા સાથે એક આરોપીની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ઈગ્‍લીશ મીડીયમ(CBSE) સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓએ 20 મેડલ અને 2 ટ્રોફી મેળવી

vartmanpravah

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

vartmanpravah

Leave a Comment