Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં ભગવાન જગન્નાથની બે સ્‍થળોએ રથયાત્રા યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્‍યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ નગર યાત્રાએ નીકળ્‍યા હતા. ઉપસ્‍થિત અતિથિઓના હસ્‍તે પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. એક જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથ યાત્રા કાઢવામાં આવી હતી અને બીજી યાત્રા બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્‍થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડાચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્‍તારોમાંથી પસાર થઈ બાદમા નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રથ યાત્રા રોકાઈ હતી, ત્‍યાં સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. સામરવરણી જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈબલરાજની મૂર્તિઓને મંદિરમાં પરત ફરશે. બીજી યાત્રા જે બાલદેવીથી નીકળી હતી એ સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાશે. જ્‍યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમા લઈ જવાશે. આ રથયાત્રામાં સ્‍કાઉટ ગાઈડની ટીમે વોલિયેન્‍ટર તરીકેની સેવા આપી હતી જેઓએ ટ્રાફિક કંટ્રોલ સહિત વિવિધ સેવા કરી હતી. આ રથયાત્રા દરમ્‍યાન ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત જોવા મળ્‍યો હતો. બે વર્ષ કોરોન કાળ બાદ ભારે વરસાદ હોવા છતાં પણ ભાવિક ભક્‍તોમાં રથયાત્રા દરમ્‍યાન ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

Related posts

દાનહ અને દમણ-દીવમાં એલ્‍ડર લાઈન હેલ્‍પલાઈન 14567 વૃદ્ધો માટે બની રહી છે આશીર્વાદરૂપ

vartmanpravah

હિંમતનગર શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા સ્‍વામી વિવેકાનંદની જન્‍મ જયંતી અવસરે સાદર શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

vartmanpravah

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

vartmanpravah

જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવે જારી કરેલો આદેશ નાની દમણ સમુદ્ર નારાયણ મંદિર જેટીથી દેવકા પ્રિન્‍સેસ પાર્ક સુધીનો બીચ રોડ વાહન અને રાહદારીઓની અવર-જવર માટે બંધ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 13 નાની દમણના સમુદ્ર નારાયણ મંદિર જેટીથી હોટલ પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના રોડને વાહનો તથા રાહદારીઓની અવર-જવર માટે બીજો આદેશ જારી નહીં થાય ત્‍યાં સુધી બંધ કરવાનો આદેશ સીઆરપીસીની 144 કલમ અંતર્ગત દમણના કલેક્‍ટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ ડોક્‍ટર તપસ્‍યા રાઘવે જારી કર્યો છે. સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક દેવકા સુધીના બીચ રોડ ઉપર વાહનો અને રાહદારીઓની અવર-જવરના કારણે એજન્‍સી દ્વારા ચાલી રહેલા કામોમાં અવરોધ આવવાની સાથે સલામતિનો પણ પ્રશ્ન ઉપસ્‍થિત થઈ રહ્યો છે, તેથી આ રસ્‍તાને સંપૂર્ણ રીતે અવર-જવર માટેબંધ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

vartmanpravah

Leave a Comment