(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.01
દાદરા નગર હવેલીના સેલવાસમાં બે જગ્યા પરથી જગન્નાથ ભગવાન બહેન સુભદ્રા અને ભાઈ બલરાજ નગર યાત્રાએ નીકળ્યા હતા. ઉપસ્થિત અતિથિઓના હસ્તે પૂજા અર્ચના અને આરતી કરી રથયાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. એક જલારામ મંદિર બાવીસા ફળિયા જગન્નાથ સેવા સમિતિ દ્વારા રથ યાત્રા કાઢવામાં આવી હતી અને બીજી યાત્રા બાલદેવી જગન્નાથ કલચરલ સમિતિ દ્વારા કાઢવામાં આવી હતી. જેમાં પ્રથમ આરતી કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ યાત્રા બાવીસા ફળિયાથી નીકળી કિલવણી નાકા, ઝંડાચોક, આમલી ગાયત્રી મંદિર થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ બાદમા નરોલી રોડ ગુલમહોર હોલ ખાતે રથ યાત્રા રોકાઈ હતી, ત્યાં સાંજે મહાપ્રસાદનું આયોજન પણ કરાયું હતું. સામરવરણી જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈબલરાજની મૂર્તિઓને મંદિરમાં પરત ફરશે. બીજી યાત્રા જે બાલદેવીથી નીકળી હતી એ સામરવરણી પંચાયત હોલ ખાતે રોકાશે. જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાશે, બાદમાં પરત ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરાજની મૂર્તિઓને પરત બાલદેવી મંદિરમા લઈ જવાશે. આ રથયાત્રામાં સ્કાઉટ ગાઈડની ટીમે વોલિયેન્ટર તરીકેની સેવા આપી હતી જેઓએ ટ્રાફિક કંટ્રોલ સહિત વિવિધ સેવા કરી હતી. આ રથયાત્રા દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો. બે વર્ષ કોરોન કાળ બાદ ભારે વરસાદ હોવા છતાં પણ ભાવિક ભક્તોમાં રથયાત્રા દરમ્યાન ઉત્સાહ જોવા મળ્યો હતો.
Next Post