Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવાપી

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

બાંધકામ સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓ દિવાળી ટાણે વતન જતા હોય છે તેથી એસ.ટી. એ સેવા વધારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: આગામી શનિવારથી દિવાળી પર્વનો પ્રારંભ થતો હોવાથી વલસાડ જિલ્લામાં વસતા બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારો મોટા ભાગે દિવાળી કરવા માટે વતનમાં જતા હોય છે અને તેનો ધસારો વધુ રહેતો હોય છે તેથી વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળી નિમિત્તે વધુ 126 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 50 બસની ફાળવણી કરી છે.
ડિવિઝનલ એસ.ટી. કન્‍ટ્રોલર બી.એસ. શર્માના જણાવ્‍યા મુજબ વલસાડ ડિવિઝનમાં આવતા તમામ વાપીથી નવસારી સુધી આવતા છ ડેપોમાં દિવાળી પર્વ અંતર્ગત વધુ 50 બસો 126 નવી ટ્રીપો દોડાવશે. જેમાં ઉત્તર ગુજરાત, ભૂજ, સૌરાષ્‍ટ્ર, પંચમહાલ, હાલોલનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલાહજારો શ્રમજીવી પરિવારો દિવાળી કરવા વતન જતા હોય છે અને તેમને સુવિધા મળી રહે તે હેતુથી એસ.ટી. વલસાડ વિભાગ વધુ 50 બસો આજથી તા.22 ઓક્‍ટોબર દોડાવશે.

Related posts

દમણ સચિવાલયના સભાખંડમાં રાજભાષા કાર્યાન્‍વયન સમિતિની યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

નાનાપોંઢાથી રૂા.65 લાખ ઉપરાંતનો અફીણ ડોડા ભરેલ કન્‍ટેનર ઝડપાયું : બેની અટક-ત્રણ વોન્‍ટેડ

vartmanpravah

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

vartmanpravah

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah

Leave a Comment