Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવાપી

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

બાંધકામ સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓ દિવાળી ટાણે વતન જતા હોય છે તેથી એસ.ટી. એ સેવા વધારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: આગામી શનિવારથી દિવાળી પર્વનો પ્રારંભ થતો હોવાથી વલસાડ જિલ્લામાં વસતા બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારો મોટા ભાગે દિવાળી કરવા માટે વતનમાં જતા હોય છે અને તેનો ધસારો વધુ રહેતો હોય છે તેથી વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળી નિમિત્તે વધુ 126 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 50 બસની ફાળવણી કરી છે.
ડિવિઝનલ એસ.ટી. કન્‍ટ્રોલર બી.એસ. શર્માના જણાવ્‍યા મુજબ વલસાડ ડિવિઝનમાં આવતા તમામ વાપીથી નવસારી સુધી આવતા છ ડેપોમાં દિવાળી પર્વ અંતર્ગત વધુ 50 બસો 126 નવી ટ્રીપો દોડાવશે. જેમાં ઉત્તર ગુજરાત, ભૂજ, સૌરાષ્‍ટ્ર, પંચમહાલ, હાલોલનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલાહજારો શ્રમજીવી પરિવારો દિવાળી કરવા વતન જતા હોય છે અને તેમને સુવિધા મળી રહે તે હેતુથી એસ.ટી. વલસાડ વિભાગ વધુ 50 બસો આજથી તા.22 ઓક્‍ટોબર દોડાવશે.

Related posts

દમણગંગા નદીનું પાણી અત્‍યંત પ્રદૂષિત થતા નદીકાંઠાના ગામડાઓની પ્રજામાં વ્‍યાપેલો રોષ

vartmanpravah

વલસાડની જાહેર સભા બાદ સરકીટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી વડાપ્રધાન આજે રવિવારે સવારે સોમનાથ જવા રવાના

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

વાપી રેલવે ફાટકે યાંત્રિક ખામી સર્જાતા માત્ર એક સાઈડનું ફાટક ખુલતા અંધાધૂંધી સર્જાઈ

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવ માં ‘‘વિશ્વ આત્‍મહત્‍યા નિવારણ દિવસ” ની કરવામાં આવીઉજવણી

vartmanpravah

Leave a Comment