January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીવાપી

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

બાંધકામ સાથે સંકળાયેલા હજારો શ્રમજીવીઓ દિવાળી ટાણે વતન જતા હોય છે તેથી એસ.ટી. એ સેવા વધારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.20: આગામી શનિવારથી દિવાળી પર્વનો પ્રારંભ થતો હોવાથી વલસાડ જિલ્લામાં વસતા બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા શ્રમજીવી પરિવારો મોટા ભાગે દિવાળી કરવા માટે વતનમાં જતા હોય છે અને તેનો ધસારો વધુ રહેતો હોય છે તેથી વલસાડ એસ.ટી. ડિવિઝન દ્વારા દિવાળી નિમિત્તે વધુ 126 ટ્રીપ દોડાવવાનો નિર્ણય લીધો છે. જેમાં 50 બસની ફાળવણી કરી છે.
ડિવિઝનલ એસ.ટી. કન્‍ટ્રોલર બી.એસ. શર્માના જણાવ્‍યા મુજબ વલસાડ ડિવિઝનમાં આવતા તમામ વાપીથી નવસારી સુધી આવતા છ ડેપોમાં દિવાળી પર્વ અંતર્ગત વધુ 50 બસો 126 નવી ટ્રીપો દોડાવશે. જેમાં ઉત્તર ગુજરાત, ભૂજ, સૌરાષ્‍ટ્ર, પંચમહાલ, હાલોલનો સમાવેશ કરાયો છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં બાંધકામ ક્ષેત્રમાં સંકળાયેલાહજારો શ્રમજીવી પરિવારો દિવાળી કરવા વતન જતા હોય છે અને તેમને સુવિધા મળી રહે તે હેતુથી એસ.ટી. વલસાડ વિભાગ વધુ 50 બસો આજથી તા.22 ઓક્‍ટોબર દોડાવશે.

Related posts

શ્રી માહ્યાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ દ્વારા મુંબઈ ખાતે ત્રી દશાબ્‍દિ મહોત્‍સવ (પર્લ જ્‍યુબીલી) : 2024 યોજાયો

vartmanpravah

ચીખલીમાં તાલુકા કક્ષાના યોજાયેલા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા વિવિધ વિભાગોમાંથી 75-જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

નવસારી ખાતે પી.એમ.કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના મિશન-2024નો ભાજપે કરેલો આરંભઃ નવનિયુક્‍ત પ્રભારી વિનોદ સોનકરે સૌના સહકારથી સંગઠનનો બુલંદ કરેલો વિશ્વાસ

vartmanpravah

Leave a Comment