October 14, 2025
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે તહેવારોમાં ભક્‍તોની ભીડ ઉમટી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વલસાડના રાબડા ગામે આવેલ સુપ્રસિદ્ધ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામે દિવાળીના પર્વ પર માઁ વિધાતા- માઁ વિશ્વંભરીના દર્શન કરવા માટે છેલ્લા કેટલાંય દિવસથી ભક્‍તોની સતત ભીડ ઉમટી પડી છે. લીલાછમ પ્રાકૃતિક સૌંદર્યની વચ્‍ચે પાર નદીને કાંઠે આવેલા આ દિવ્‍ય ધામમાં માઁ વિધાતાના ચૈતન્‍ય સ્‍વરૂપના દર્શન કરીને અસંખ્‍ય લોકોએ ધન્‍યતા અનુભવી હતી. અહિ આ ધામે માઁનો દિવ્‍ય સંદેશ ‘‘અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા ફરો અને ઘરને એક મંદિર બનાવો” તેમજ કર્તવ્‍યકર્મ, કર્મભક્‍તિ, કર્મયોગી એમ ત્રણ ચરણની મૂળભૂત ભક્‍તિની પ્રેરણા મેળવીને આજે માત્ર ભારતવર્ષમાં જ નહી પણ વિદેશમાં રહેતા અસંખ્‍ય લોકો પોતાના ઘરને મંદિર બનાવીને સાત્‍વિક શક્‍તિની આરાધના કરવા લાગ્‍યા છે.
આ ધામેગીર ગાયની આદર્શ ગૌશાળામાંથી પ્રેરણા મેળવીને આજે લોકો પોતાના ઘર આંગણે ગાયોનું પાલન-પોષણ-જતન કરતા થયા છે. તેમજ અહિંયા આ ધામે સ્‍વચ્‍છતા શિષ્‍ટતા જોઈને લોકો પણ પોતાના જીવનમાં સ્‍વચ્‍છતા અને શિષ્‍ટતાનું પાલન કરતા થયા છે. આ ધામેથી જીવન જીવવાની સાચી કળાની શીખ મેળવીને અસંખ્‍ય લોકોના જીવનમાં પરિવર્તન આવ્‍યું છે. આવા લોકોને પોતાના ઘરમાં જ ખરા અર્થની શાંતિ અને સ્‍વર્ગની અનુભૂતિ થવા લાગી છે. ભવસાગર પાર કરવા એટલે કે મોક્ષ પામવા માટે આ ધામ એક દીવાદાંડીની ગરજ સારી રહ્યું છે.

Related posts

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા કુરુક્ષેત્રના બ્રહ્મ સરોવર તટે 108 કુંડી મહાવિષ્‍ણુ યજ્ઞ કરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દશેરા ઉપર દમણ જિલ્લાના લોકોને અણમોલ ભેટઃ દમણના માસ્‍ટર પ્‍લાનને આપેલી મંજૂરીઃ આજથી અમલ

vartmanpravah

ચીખલીના તલાવચોરામાં શ્રી ગણેશ નવયુવક મંડળ ભુધરવાડી આયોજિત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ધકવાડા ઇલેવન ચેમ્‍પિયન જ્‍યારે કોસંબા ઇલેવન રનર્સઅપ 

vartmanpravah

દાદરા નગર હવેલીમાં બુધવારે બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકર, યુવા અભિનવ ડેલકર અને ઈંદ્રજીત પરમાર ભાજના સક્રિય સભ્‍ય બન્‍યા

vartmanpravah

Leave a Comment