Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આદિવાસી સમાજની દીકરી ઉપર થઈ રહેલ અત્‍યાચારના વિરોધમાં ગુજરાત રાજ્‍યના ગૃહ મંત્રીને આવેદનપત્ર પાઠવતો સમસ્‍ત આદિવાસી સમાજ પારડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.04: છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજની દીકરીઓ પર બળાત્‍કાર, હત્‍યા તથા ચોરી જેવા આરોપો મૂકી માનસિક ત્રાસ આપી આત્‍મહત્‍યા કરવા પર મજબૂર બને એવા કિસ્‍સાઓ સમગ્રગુજરાતમાં બની રહ્યા છે. તે પછી 21-6-2023 ના રોજ રાત્રે 11:00 વાગે આદિવાસી સમાજની દીકરીને આરજેડી ઈચ્‍છાપોર ખાતે ચાલતી કન્‍સ્‍ટ્રકશન સાઈડ પરથી અજાણ્‍યા ઈસમો દ્વારા અપહરણ કરી ઉઠાવી જઈ બળાત્‍કાર કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી અર્ધમરણ અવસ્‍થામાં રસ્‍તા પર ફેંકી જઈ ભાગી જનારા હોય કે કપડેટા સચિન સુરતનો બનાવ હોય કે બારડોલી ખાતે રહેતી અને પલસાણા નર્સિંગમાં ભણતી આદિવાસી સમાજની દીકરી પર શિક્ષિકા દ્વારા 10000 ની ચોરીનો ખોટો આરોપ મૂકી માનસિક રીતે હેરાન કરી આત્‍માહત્‍યા કરવા સુધીની હેરાનગીરી હોય આ તમામ કિસ્‍સાઓમાં આદિવાસી સમાજની દીકરીઓજ ભોગ બની છે.
આવા હિન કળત્‍ય કરનારા નરાધમોને ફાંસી જેવી સખ્‍તમાં સખ્‍ત સજા થાય જેથી આવા હિન કળત્‍યોનો ભોગ બનેલ આદિવાસી દીકરીઓને ત્‍વરિત ન્‍યાય મળે એ હેતુસર આજરોજ સમસ્‍ત આદિવાસી સમાજ પારડી દ્વારા ગુજરાત રાજ્‍ય ગૃહ મંત્રીને પારડી મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું.
આજના આ કાર્યક્રમમાં સમસ્‍ત આદિવાસી સમાજ, પારડી તરફથી કપિલકુમાર કાંતિભાઈ હળપતિ, બિપીનભાઈ મોહનભાઈ પટેલ, ધર્મેશભાઈ ચીમનભાઈ હળપતિ, જીતેશભાઈ મનુભાઈ હળપતિ, દેવેન્‍દ્રભાઈ રમેશભાઈ રાઠોડ, છોટુભાઈ નારણભાઈ હળપતિ, સુનીલભાઈ હળપતિ, ગૌરવભાઈ,સુરેશભાઈ પટેલ, વિરલભાઈ રાઠોડ વિગેરેનાઓ ઉપસ્‍થિત રહ્યા હતાં.

Related posts

પ્રદેશ ભાજપ મહિલા મોર્ચાએ સુશાસન દિવસના ઉપલક્ષમાં પૂર્વ પ્રધાનમંત્રી સ્‍વ.અટલ બિહારી વાજપેયી વિશે યોજેલી વક્‍તૃત્‍વ સ્‍પર્ધા

vartmanpravah

કપરાડામાં રાજ્‍યકક્ષાના પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીના હસ્‍તે રૂા.81 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે લોકોને કરેલું આહ્‌વાન

vartmanpravah

સરીગામ બજાર માર્ગ પર ટ્રાફિકની ભરમાર અને અકસ્‍માતનું જોખમ

vartmanpravah

મોડે મોડે પ્રદેશ ભાજપને ફૂટી ડહાપણની દાઢ : હવે દાનહના ગ્રામ્‍ય વિસ્‍તારોની મુલાકાત લઈ સમસ્‍યા જાણવા શરૂ કરેલો પ્રયાસ

vartmanpravah

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

Leave a Comment